SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ધરણેન્દ્ર આચાર્ય શ્રીને કહે છે કે હવે તમારે એ આખતમાં ખેદ કરવાની જરૂર નથી. હવે તમે દીનતાને તજી દો અને હું જણાવું છું તે શ્રી જિનમિમને ઉદ્ધાર કરો. એથી તમારાં સમસ્ત રાગ પણ જશે અને તમારા હાથે શાસનની સુન્દર પ્રભાવના પણ થશે.' આવું કહેવા સાથે, સ્થંભનપુર નામના ગામે, સેઢી નામની નદીના તટે, વૃક્ષઘઢાની અંદર શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવકે સ્થાપેલી, શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી અંગેની વાત, ધરણેન્દ્ર શ્રી અભયદેવસૂરિજી મહારાજાને સૂચવી. Ak ધરણેન્દ્રના સૂચનને આ પ્રસંગ, આચાર્યશ્રીએ સધને કહી સભળાવ્યેા. શ્રી જિનબિમ્બનો ઉદ્ધાર કરવાને માટે જતા આચાર્યશ્રીની સાથે જવાને માટે શ્રીસ ઘ પણ તૈયાર થઈ ગયે. સ ંધમાં નવસે। તા માત્ર ગાડાં જ હતાં, એટલે સવમાં માણુસેાની સંખ્યા અને બીજી સામગ્રી કેટલા વિપુલ પ્રમાણમાં હશે, તેની કલ્પના તમે કરી શકશે. સ ંઘે સેઢી નદીના તીરે આવીને પડાવ નાખ્યો. પછી, આચાય શ્રીએ પેાતે જ ત્યાં તપાસ કરવા માંડી. ગે વાળેાની સાથે વાતચીત કરતાં, આચાર્ય શ્રીને એવી ખાતમી મળી કે— પાસેના ગામમાં મહીશુલ નામે એક મુખી પટેલ રહે છે. તેને ત્યાં એક કાળી ગાય છે. એ ગાય અમુક જગ્યાએ આવીને રાજ પાતાના સઘળા આંચળાથી દૂધને ઝરી જાય છે. એ ગામ જ્યારે પટેલને ઘેર પાછી જાય છે, ત્યારે એ ગાયને દોહવાના પટેલ ઘણા ઘણા પ્રયત્ન કરે છે, પણ એ ગાય પટેલને ઘેર દૂધને ઝરતી નથી. રાજ આવુ બને છે, એટલે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy