SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ - ૫૫૧ વિશેષણના વર્ણનના પ્રસંગમાં કાંઈક વિસ્તારથી વિચારી આવ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદે મોક્ષમાર્ગના પ્રકાશક હોવાના કારણે તે શિવંકર છે જ, પરંતુ એ તારકેના પ્રભાવથી પણ જેને માટે એ શિવકર નિવડે છે. ભગવાન નને અતિશય એવો પણ હોય છે કે જયાં ભગવાન વિરાજતા હોય, ત્યાં ઉર્વ દિશામાં પણ સાડા બાર યોજન સુધી અને અદિશામાં પણ સાડા બાર જન સુધી તેમજ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ-એ ચારે ય દિશાઓમાં પચીસ પચીસ જન સુધી કેઈ પણ જીવને રેગ થતું નથી. વળી એ તારકે જ્યાં વિરાજતા હોય છે, ત્યાં પરસ્પર વેરભાવ પેદા થતું નથી, ઉંદર, તીડ આદિ અનાજને ઉપદ્રવ કરતા નથી; રોગચાળાથી સામટાં મરણે થતાં નથી, અતિવૃષ્ટિ પણ થતી નથી, અનાવૃષ્ટિ પણ થતી નથી; અને દુકાળ પડતું નથી. આથી પણ એ તારકોને “શિવકર” તરીકે સ્તવી શકાય. વળી ભગવાનને અંગે કરાતા બલિમાં પણ અજબ જે પ્રભાવ હોય છે. સમવસરણમાં વિરાજમાન ભગવાન પહેલી પિરિસીની ધર્મકથા પૂર્ણ કરે છે, તે વખતે ચક્રવર્તી આદિ વિધિપૂર્વક છડેલા, વણેલા, અખંડ અને તરાડ વિનાના ઉત્તમ જાતિના ચેખાઓ ભગવાનને વધાવતા હોય તેમ આકાશમાં ઉછાળે છે. એ ચખાઓમાંથી અડધે ભાગ દે જ આકાશમાંથી ને આકાશમાંથી લઈ લે છે; બાકીના અડધા ભાગના ચોખામાંથી અડધે ભાગ ચક્રવર્તી કે રાજા આદિ લે છે અને શેષ અડધે ભાગ લેકે લે છે. આ બલિના ચેખાઓને એ પ્રભાવ હોય છે કે-તેમાં એક પણ ચાખે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy