SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૯૯ આ એક પ્રસંગ આચાર્યભગવાન શ્રીમદ્દ વજસ્વામીજીના સંબંધમાં પણ બન્યું હતું. આચાર્યભગવાન શ્રીમદ્ વાસ્વામીજી જેમ અનેકાનેક ગુણના ધામ હતા, તેમ રૂપ પણ તેમનું અદ્ભુત હતું. સાધ્વીઓ એ મહાપુરૂષના ગુણેની જેમ પ્રશંસા કરતી હતી, તેમ તેમના રૂપની પણ પ્રશંસા કરતી હતી, કેમ કે-એ મહાપુરૂષનું રૂપ પણ અનેક આત્માએને ધર્મશાસન તરફ આકર્ષનારું નિવડતું હતું. અથવા તે કહે કે-સંયમી મહાપુરૂષોનું સઘળું ય પ્રશંસનીય બની જાય છે. સાધ્વીઓ એ મહાપુરૂષના રૂપ અને ગુણ આદિની પ્રશંસા કરતી હતી, એટલે એ સાંભળીને એક શેઠની પુત્રીને, આચાર્ય ભગવાન શ્રીમદ્ વાસ્વામીજીને જ પરણવાનું મન થઈ ગયું. સાવીઓએ એ કન્યાને ઘણું સમજાવી, પણ એ કન્યા એકની બે થઈ નહિ. એણે તે હઠ જ લીધી કે-પરણું તે શ્રી વાસ્વામીઇને જ પરણું.”હવે આમાં સાધ્વીઓને દેવ કઢાય? એવી પ્રશંસા કેમ કરી, કે જેથી શેઠની પુત્રીને આચાર્યભગવાન સાથે પરણવાનું મન થઈ ગયું?—એમ કહેવાય? ત્યારે સાધ્વીએએ મહાપુરૂના રૂપની પ્રશંસા નહિ જ કરવી જોઈએ? -એમ પણ કહેવાય?નહિ જ. સાધ્વીઓને આશય શું હતું? એ મહાપુરૂષ પિતાના રૂપથી પણ ઉપકાર કરી રહ્યા છે, એની અનુમોદના કરીને, સાંભળનારને એ મહાપુરૂષ પ્રત્યે ભક્તિવાળાં બનાવવાં, એ જ એ સાધ્વીઓનો આશય હતું. જો કે પછી તે એ શેઠપુત્રી પણ આચાર્યભગવાન શ્રીમદ્દ વજીસ્વામીજીના સદુપદેશથી સધર્મને જ પામી છે; પણ એ પહેલાં તે એણે એના પિતાને, ઘણું ઘણું ધન લઈને આચાર્ય ભગવાનની પાસે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy