SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પોતાના પુત્ર અભયકુમારને સાથે લઈને, ગુરૂમહારાજને વન્દના કરવાને માટે ગયા. ત્યાં ગુરૂમહારાજના શ્રીમુખેથી,પિતા-પુત્ર સંસારની અસારતાને જણાવનાર ધર્મના ઉપદેશને સાંભળે j i સળુઓના ઉપદેશને સાર શું હોય? એ જ કેસંસાર અસાર છે, તેથી તજવા લાયક છે અને મોક્ષ સર્વ સુખમય છે, તેથી તેને મેળવવાને માટે ભગવાને કહેલે વિરતિધર્મ–ત્યાગધર્મ સેવવા લાયક છે. જેને આ વાત રૂચે, એથી જેનામાં સંસારના ત્યાગને ઉલલાસ પ્રગટે અને એકાંતે મોક્ષમાર્ગનું આરાધન કરવાને માટે જે સમર્થ અને યોગ્ય જણાય, તેને વિધિપૂર્વક દીક્ષા દેવાય. તમારે છોકરે વ્યાખ્યાન સાંભળવા આવ્યો હોય અને તેને ધર્મોપદેશ રૂચી જાય, તે એ તમને ગમે તે ખરું જ, કેમ? ધર્મોપદેશ રૂચવાથી તે ને સંસારને ત્યાગ કરવાને માટે ઉલ્લસિત થાય, તે તમે રાજી ચાવ કે નારાજ થાય? એને તમે કાચી બુદ્ધિને માને કે તમારા કરતાં વધારે લઘુકર્મી અને ભાગ્યશાળી માને ? તમારી પાસે જ્યારે એ દીક્ષા લેવાની રજા માગે, ત્યારે તમને એમ થવું જોઈએ કે- હું રહી ગયે અને આ પામી ગયે !' અહીં તે ગુરૂમહારાજના શ્રીમુખેથી સંસારની અસારતાને દર્શાવનાર ધર્મોપદેશનું શ્રવણ કરવાના ચગે, શ્રી અભયકુમારને આત્મા વૈરાગ્યવાસિત બની ગયા અને એ વૈરાગ્યના સંયમને ગ્રહણ કરવાને માટે ઉ૯લસિત બનેલા શ્રી અભયકુમારે પિતાના પિતા પાસે, સંયમને લેવાની અનુમતિ માગી. શ્રી અભયકુમારના પિતા શ્રી મહીધર શ્રેષ્ટિએ પણ શ્રી અભય કુમારને દીક્ષા લેવાની અનુજ્ઞા આપી. આથી આચાર્ય શ્રી
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy