SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને લેવાને માટે મોકલ્યા છે, પણ દશમ સની સિવાય કઈ નથી, કે જેથી એને પડતો મૂકીને બીજાને પ્રતિબેધવાને વિચાર પણ કરે. આમ કરતાં કરતાં ભેજનવેળા વીતી ગઈ. વેશ્યાએ એક વાર કરેલી રઈ કાઢી નાખી અને બીજી વાર તાજી રઈ કરી, પણ શ્રી નંદિષેણુ ભેજન કરવાને ઉઠયા જ નહિ. વેશ્યાને ય ભૂખ લાગી છે, પણ તે શ્રી નંદિષેણના જમ્યા વિના જમે શાની? ધણી ભૂખે બેઠો હોય અને ધણીયાણી ખાય, એ બને ખરું? જૂઓ કે–વેશ્યા પણ કેવી નમ્ર બની ગઈ છે ? | શ્રી નંદિષેણ એ વિચાર પણ કરતા નથી કે આજે દશમે ન મળ્યો તે કાંઈ નહિ; મેં તે મારાથી બનતું બધું કર્યું, પણ આ ન માને તેમાં હું શું કરું? આવતી કાલે દેશને બદલે અગીઆરને પ્રતિબંધીને દીક્ષા લેવાને મોકલી આપીશ.” ભોગ ભેગવવાને જે જરા પણ રસ હોય, તે આ વિચાર આવ્યા વિના રહે? ભેગની લાલસાએ માણસે પોતે લીધેલા મિયમના, ભગવાનની સાક્ષીએ સદ્દગુરૂ સમક્ષ લીધેલા નિયમેના પણ કેવા ભૂકા કરી નાખે છે, તે શું તમારાથી અજાહ્યું છે? જરાક તકલીફ આવી, થોડી શી પ્રતિકૂળતા નડી, એટલે લીધેલા નિયમનું પાલન નેવે મૂકાઈ જતાં વાર લાગે નહિ, આવાઓ પણ હોય છે. શ્રી નંદિષેણ તે માત્ર પોતે જ ગ્રહણ કરેલા અભિગ્રહના પાલનમાં પણ દઢ છે. સોની પલ તે નથી ને શ્રી નંદિષેણ ભેજન કરવાને ઉઠતા નથી. તે દિવસે વેશ્યાએ બીજી વાર બનાવેલી રસેઈ પણ કાઢી નાખી અને ત્રીજી વાર તાજી રઈ બનાવી. ત્રીજી વાર
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy