SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છે. કારણ કે-ઉલૂગકથન રૂપે એક જ પાપ પણ તેને અનંત સંસારમાં રૂલાવનારૂં બને છે. ભવભીર આત્માઓએ તે, બીજાં પાપને પરિત્યાગ થઈ શકે નહિ તે પણ, છેવટમાં છેવટ ઉસૂત્રપ્રરૂપણ રૂપ ભયંકર પાપથી બચવાને માટે તે સદાને માટે ઉપયોગશીલ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે કેભવભીરૂ આત્માઓએ તો પાપ માત્રને પરિત્યાગ કરવાને માટે ઉપગશીલ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ, કારણ કે-પાપ માત્રને પરિત્યાગ કર્યા વિના મોક્ષમાર્ગની સુન્દર કેન્ટિની આરાધના શક્ય નથી; પરન્તુ ઉસૂત્રપ્રરૂપણા રૂપ પાપથી તે અવશ્યમેવ બચવું જોઈએ કારણ કે-આત્માને અનંત સંસારમાં રૂલાવવાનું કેવું સામર્થ્ય ઉસૂત્રપ્રરૂપણું રૂપ પાપમાં છે, તેવું સામર્થ્ય અન્ય કઈ પણ પાપમાં નથી. ઉસૂત્રપ્રરૂપણા રૂપ પા૫ના વિષયમાં જેઓ ઉપેક્ષા સેવે છે, તેઓ અન્ય પાપના ત્યાગની ગમે તેટલી વાત કરતા હોય કે અન્ય પાપના ત્યાગને ગમે તેટલે પ્રયત્ન પણ કરતા હેય, તે પણ તેઓ અનન્તજ્ઞાનિઓએ ફરમાવેલા પાપકર્મના વાસ્તવિક સ્વરૂપને સમજયા જ નથી. આ કાળમાં તે, સૂત્રપ્રરૂપણાથી બચવાને માટે ખૂબ જ લક્ષ્ય રાખવા જેવું છે. આજે એવું એવું સાહિત્ય પ્રચાર પામી રહ્યું છે કેઅજ્ઞાન જીવેને સૂત્રવિરૂદ્ધના માર્ગે દોરી જાય અને તેમાં જે આગ્રહ થઈ જાય તથા એ આગ્રહને વશ થઈને જે પિતે માની લીધેલ વસ્તુનું સમર્થન કરવાનું મન થઈ જાય, તે ઉસૂત્રકથનનું મહાપાપ પલ્લે પડી જતાં વાર લાગે નહિ. ભવથી વિસ્તારને પામવાની વૃત્તિવાળા આત્માઓએ તો,
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy