SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન અનુપમ એવા નિરૂપાધિક આત્મસુખને ભેગવનારા બને છે અને એમને પરલોક પણ સુધરે છે. શેઠના દીકરાઓને આ નિવૃત્તિધર્મ સમજાયે નથી, એટલે તેઓ સાધનસંપન્ન હોવા છતાં પણ બંધ કરે છે. એમાં જે નાને દીકરે છે, તે પણ બંધ કરે છે ખરે, પણ ધંધો કરવામાં ય તે નીતિને ચૂકતું નથી અને ધનને લેભ કર્યા વિના ગરીબોને દાન પણ સારી રીતિએ કર્યા કરે છે. હવે એક દિવસ બન્યું એવું કે એ ગામમાં એક મેટું સરવર જેવું તળાવ હતું અને એ તળાવે સ્નાન કરવાને માટે શેઠને મેટ દીકરે ગયો હતે. એ તળાવે સ્નાન કરવાને માટે ઘણું માણસ આવ્યા હતા. તળાવની પાર બંધેલી હતી, તળાવમાં ઉતરવાનાં પગથીયાં બાંધેલાં હતાં, એટલે બધા લોકે તળાવનાં પગથીયાંઓ ઉપર બેસીને સ્નાન કરતા હતા. એમાં નાની ઉંમરને કેઈગરીબને છેક પણ સ્નાન કરતા હતા. એ કરે તે જરા રમતીયાળ અને તળાવના પાણીમાં પગથીયા ઉપર લીલ જામી ગઈ હતી, એટલે રમત કરતાં કરતાં તે છોકરો જ્યાં જરા નીચે ઉતરવા ગયે, કે તરત જ એને પગ લપસ્યું અને એ ડૂબવા લાગ્યો. એને ડૂબતે જોઈને, નહાનારાઓમાં હે-હાકાર મચી ગયે. શેઠના મોટા પુત્રે પણ એ તરફ જોયું અને એને પેલા લાલની (રત્નની) વાત યાદ આવી ગઈ. એને થયું કે-“આ છોકરાને જે હું બચાવી લઉં, તે આ વાત જાણવાથી પિતાજી જરૂર પ્રસન્ન થશે અને પિતાજી પ્રસન્ન થશે એટલે એ પેલું મહા મૂલ્યવાન રત્ન મને આપશે.”
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy