SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૭૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પાન વૃત્તિને તજીને સિહત્તિને કેળવો ધર્મને નહિ સમજેલા, રાગ અને રેષમાં જ મશગુલ રહેનારાઓ કહે છે કે બધા જીવોને મિત્ર રૂપ મનાય કેમ? બગાડનારનું ન બગાડીએ તે ચાલે કેમ?” પણ આવું માન નારા મૂખ છે, અજ્ઞાન છે. તેઓ રહસ્યને સમજી શક્યા નથી. દુનિયામાં જેને શત્રુ મનાય છે, તે તે કલ્પનાના શત્રુ છે. ખરા શત્રુ તે આત્મા સાથે સ્થાન જમાવી બેઠેલા છે. મહીંના શગુએ પેદા કરેલા બહારના શત્રુ છે. અસલમાં શત્રુ કર્મ છે. જે કર્મ ન હોય, તે બહાર કોઈ શત્રુ બને જ નહિ. સિદ્ધોને કોઈ શત્રુ નથી. સમાજમાં આવતાં સમજનારાએ નમસ્ય' એ જાપ જપતા થાય છે, પણ કોઈ અણસમજુને સિદ્ધિને લેપ કરી નાખવાનું મન થતું નથી. શ્રી વીતરાગ-દર્શનમાં શત્રુઓને મારવાની વાત જરૂર છે, જ અરિતા એમ કહીને સૌથી પહેલો નમસ્કાર, શત્રુઓને હણનાર તથા શત્રુઓને હણવાના માર્ગને દર્શાવનારા ભગવ તેને કરાય છે, શત્રુઓને હણી નાખ્યા વિના-જડમૂળથી ઉખેડીને ફેંકી દીધા વિના, જીવ મોક્ષને પામવાને જ નથી, એટલે શત્રુઓને હણવાની મનાઈનથી, પણ શત્રુઓને બરાબર ઓળખી લેવાને પૂરેપૂરો આગ્રહ છે. આત્માના ખરેખરા. શત્રુઓ તે રાગ અને ડેષ છે. રાગ અને દ્વેષ ગયા વિના આત્માનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટે નહિ. રાગ અને દ્વેષકર્મ રૂ૫ શત્રુને પેદા કરે છે. જ્યાં સુધી કર્મ રૂપ શત્રુ હેતો નથી, ત્યાં સુધી બીજો કોઈ શત્રુ હેત નથી. રાગ-દ્વેષ પણ કમને વેગ છે માટે જ ટકી શકે છે. જો કે શ્રી વીતરાગ બનેલાને ચાર અઘાતી કર્મોને
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy