SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આટલી વાત કરવાથી, સામે જે લાયક હોય અને હઠાગ્રહી ન હોય, તે એને શ્રી વીતરાગની મૂર્તિનું દર્શન કરવાનું મન થઈ જાય. વીતરાગતાને મેળવવાનું મન નિકટભવીને જ થાય; અને વીતરાગતાને પામવાને માટે વીતરાગની મૂર્તિનું દર્શન કરવાની ભાવના પણ નિકટભવીને જ થાય. બાકી જેઓ અભવ્ય હોય, દુર્ભ હોય, બહુલ સંસારી હેય અથવા ભારેકમી હોય-એવા આત્માઓને તે શ્રી વીતરાગની વાત રૂચે જ નહિ. તેઓ તે “યથા વિષે તથા બ્રહ્મા ભાળે છે. પિતાનું નાસ્તિપણું નહિ નિહાળતાં, બીજાને તેવા દેખે છે. એવું લખનારા અને બેલનારા પણ છે કે-નરિતો ઘેર આમ કહીને કેટલાકે જેનેને નિર્દો છે, પણ એ વાત બેટી છે. જેને કદી પણ જ્ઞાનને નિન્દતા નથી. જેને અજ્ઞાનને, મિથ્યાજ્ઞાનને જરૂર નિદે છે એટલે મિથ્યાષ્ટિએને એ પિલાતું નથી. જેને તે આત્મજ્ઞાનના પરમ ઉપાસક છે, એટલે ખરેખરા આસ્તિક છે; પણ મિથ્યાત્વના જોરથી જેની સુન્દર વાતે પણ જેમને ગમતી નથી, તેવાઓ યથેચ્છ પ્રજ૫વાદ કરે છે. જેને તે જ્ઞાનાદિ ગુણોના એવા ઉપાસક છે કે-જગતમાં એની પણ જોડી મળે નહિ. શ્રી જૈન દર્શનમાં અમુક જ દેવ” “અમુક જ ગુરૂ” અને “અમુક જ ધર્મ” -એમ નથી કહ્યું, પરંતુ દેવ કેવા હોય, ગુરૂ કેવા હોય અને ધર્મ કે હય, એ બતાવીને કહ્યું છે કે-જે કેઈ આવા હેય તે દેવ કહેવાય, જે કઈ આવા હોય તે ગુરૂ કહેવાય અને જે કઈ આવા સ્વરૂપવાળે હોય તે ધર્મ કહેવાય. આમ કહીને, ભગવાન શ્રી જિનેશ્વરદે આદિની દેવતત્ત્વમાં,
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy