SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦.. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જતાં, ગઈ ગુજરીને ભૂલી જનારા જ ઘણા હોય છે. જેઓ એમ ભૂલી શક્તા નથી, તેઓ ઝુરી ઝૂરીને મરે છે. આમ રાગ એક યા બીજી રીતિએ પણ દુઃખનું જ કારણ બને છે. આત્મામાં વિવેક પ્રગટે, તે જ રાગની સતામણીથી બચી શકાય. રાજા ભર્તુહરિ બ્રાહ્મણે આપેલા ફળને પિતે ખાત નથી, પણ પટ્ટરાણીની પાસે જઈને, એ ફળ તેને ખાવાને માટે આપે છે. પરાણે પણ, જે રાજા ભર્તુહરિએ વિચાર કર્યો હતે, તે જ વિચાર કરે છે. રાજા ભર્તુહરિ જે પટ્ટરાણના રાગમાં અબ્ધ બનેલો હતો, તે જ પટ્ટરાણી રાજાના હસ્તિપાલકને વિષે અને કઈ કહે છે કે-રાજાના અશ્વપાલકને વિષે રાગાધ બનેલી હતી. રાજાને લાગતું હતું કે હું મારી પટ્ટરાણી વગર જીવી શકું નહિ” અને એ રાણીને લાગતું હતું કે હું મારા યાર વગર જીવી શકું નહિ!” સંસારની આ દશા તે જૂઓ! સ્ત્રીઓના ચરિત્રની કલ્પના તે કરો! રાજા ભર્તુહરિને તેના ઉપર ગાઢ રાગ હવે, માટે તે પટ્ટરાણી પદે ટકીને વધુમાં વધુ રાજ સુ ને ઉપભોગ કરી શકતી હતી. એનું માન, એના ભેગેપગ, એ વિગેરે બધું એના તરફના રાજાના રાગને અંગે હતું. આમ છતાં ય, એ રાણીને રાગ રાજા તરફ નહિ અને રાજાના ચાકર તરફ ગાઢ રાગ ! એ રાણી રાજા સાથે કેટલી બધી કુશલતાથી વર્તતી હશે? રાજાને એમ જ લાગ્યા કરે કે-પટ્ટરાણને મારા ઉપર ગાઢ રાગ છે. કદી પણ રાજાને રાણીની પ્રીતિમાં ઓછપ લાગે નહિ અને રાણી તરફ લેશ માત્ર પણ શંકા આવે નહિ, ત્યારે રાણીને વર્તાવ રાજા સાથે કેટલો બધે સાવધગીરીવાળે અને કુશળતાવાળો હશે? વિષય
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy