SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Ge શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા ક્ષય થાય છે, ત્યારે તા ભલભલા ચમત્કાર પામી જાય કેન્દ્ર આવો પલટા આવે જ શી રીતિએ ?–એવું પણ અને છે. અહીં એ વાત પશુ વિચારવા જેવી છે કે-રાગાન્ય જનો પેાતાના જ સ્વાર્થમાં કેટલા બધા મશ્કુલ હાય છે? રાજાને પેાતાની વિરહવેદનાનો વિચાર આવે છે, પણ પેાતાની પટ્ટરાણીની વિરહવેદનાનો વિચાર આવતા નથી. ‘ પટ્ટરાણીના અભાવમાં હું નહિ જીવી શકું ’–એ વિચાર રાજાને આવે છે; પણ ‘પટ્ટરાણી મારા વિના કેમ જીવી શકશે ?’ –એવો વિચાર રાજાને આવતા નથી. પ્રશ્ન॰ રાજાને એમ લાગતું હોય કે જેવી પ્રીતિ મને પટ્ટરાણી તરફ છે, તેવી ગાઢ પ્રીતિ પટ્ટરાણીને મારા ઉપર નહિ હોય, તા ? એ વસ્તુ શકય જ નથી. સામા પાત્રમાં તેટલી ગાઢ પ્રીતિ હોય કે ન હેાય એ વાત જૂદી છે, પરન્તુ રાગાન્ધ બનેલા માણસને તે એવ્રા જ ખ્યાલ હોય છે કે જેમ એના પ્રત્યે મારા મનમાં ગાઢ પ્રીતિ છે, તેમ તેનામાં પણ મારા પ્રત્યે ગાઢ પ્રીતિ છે જ. સામા પાત્રમાં મારા પ્રત્યે ગાઢ પ્રીતિ છે, એવી માન્યતા જ ગાઢ પ્રીતિને સજાવી શકે છે અને ટકાવી શકે છે. ગાઢ પ્રીતિવાળી વ્યક્તિ, સામી વ્યક્તિની પાતા પ્રત્યેની મીતિની આછાશને સહન કરી શકતી જ નથી. રાજા ભર્તૃહરિ તે એમ જ માને છે કે–જેવી ગાઢ પ્રીતિ મને પટ્ટરાણીને વિષે છે, તેવી જ ગાઢ પ્રીતિ તે પટ્ટરાણીને મારા વિષે છે અને એથી જ એ ગાઢ પ્રીતિએ એવી મનેાદશા જન્માવી છે કે પટ્ટરાણી વિના હું જીવી શકું જ નહિ ! આપણી વાત તે એ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy