SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા સાચું છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રણ ઉત્તર પૈકીના દરેકે દરેક ઉત્તરમાં ઉત્પાદ-ય-ધ્રૌવ્ય એ ત્રણેયને સૂચવે છે-એમ કહેવું, એ પણ સાચુ જ છે. પ્રશ્ન॰ એ શી રીતિએ ? * એનું કારણ એ છે કે–ભગવાને ત્રણેય પદાચ્ચારામાં વા’ અવ્યય ઉચ્ચારેલ છે અને એ ‘ વા’ ના ઉચ્ચાર દ્વારા ઉત્પાદના સિદ્ધાંત સૂચવતી વખતે બ્યય-ધ્રૌવ્યનું, વ્યયના સિદ્ધાંત સૂચવતી વખતે ઉત્પાદ—ધ્રૌવ્યનું અને ધ્રૌવ્યના સિદ્ધાન્ત સૂચવતી વખતે ઉત્પાદ-વ્યયનું સૂચન કરેલ છે. દરેકે દરેક ઉત્તરમાં ‘વાના પણ ભેગા પ્રયાગ કરવા દ્વારા, ભગવાને દ્રવ્યના અન્ય ધર્મોના અસ્તિત્વના સ્વીકાર કરવા સાથે, તેનો ખ્યાલ પણ આપ્યા છે. ભગવાનનું શાસન અનેકાન્તર્મય છે, એ તે આ ત્રિપદી ઉપરથી પણ સમજી શકાય છે. આજે કેટલાક અજ્ઞાનીઓ અધુરી અને ઉંધી સમજણને લીધે એમ કહે છે કે ભગવાનના શાસનમાં અનેકાન્તવાદ પાછળથી આવ્યા છે.' તેમને ગમ નથી કે-અહી તા મૂળથી જ અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ છે. આ ત્રિપદીના સ્વરૂપને પણ તેઓ જો બરાબર વિચારે, તે તેમની ભ્રમણા ભાગે અને તેમને લાગે કે-શ્રી જૈન શાસનમાં કાઇ પણ કાળે એકાન્તવાદ હતા જ નહિ. અપેક્ષાએ જ ઉત્પાદ-વ્યય-ધોવ્ય : ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રિદી દ્વારા ફરમાવે છે કેએકનું એક દ્રવ્ય અપેક્ષાએ ઉત્પન્ન પણ થાય છે, અપેક્ષાએ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy