SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૩૭ એવી જ રીતિએ. શ્રી વીતરાગ પિતે સંગરહિત છે, પણ એ તારકના ગુણોમાં-એ તારકના ગુણોની સ્તવનામાં, એ તારકના ગુણને આશ્રયીને એ તારકની ઉપાસના કરવામાં અતુલ ફિલ આપવાની તાકાત છે ચિન્તામણિ વિગેરેની ભારેમાં ભારે સેવા કરવામાં આવે, તે પણ તે સેવકને પિતાના સમાન બનાવે નહિ; અન્યનાં વાંછિતોને પૂરવાની તાકાતવાળા બનાવે નહિ; જ્યારે શ્રી વીતરાગની ઉપાસના તે વીતરાગ બનાવે. એની ઉપાસનાથી આપણે એના જેવા બની શકીએ. જે દેવ ભક્તિથી રીઝે અને આશાતનાથી ખીઝે, તે દેવ આપણી પાસે પણ રીઝવાને અને ખીઝવાને જ આદર્શ રજૂ કરે ને? એવા દેવની સેવા લાલસાથી કરવી એ ભક્તિ નથી, પણ સદે છે. નિષ્કામ સેવા એ જ સાચી ભક્તિ છે. ભક્તિ માટે જે ભક્તને નિષ્કામ બનવું પડે, તે તે ભક્ત “ભગવાન નિષ્કામ હોવા જા જોઈએ એટલું ન સમજે? હવે જે ભગવાન નિષ્કામ હોય, તે ભક્તિથીએ રીઝે એવું બને શી રીતિએ? રાગી અને દ્વેષી દેવની ભક્તિ તારે નહિ, પણ ડૂબાવે. સેવાનું ખરું ફળ કયું ? સેવક સેવ્ય જે બને તે! રાગી-દ્વેષી દેવને સેવક પણ રાગ-દ્વેષી જ બને. આપણે તે રાગ-દ્વેષથી મુક્ત બનવું છે, કારણ કે રાગ અને શ્રેષમાં સુખ નથી પણ દુઃખ છે, અને એથી જ આપણે શ્રી વીતરાગની જ દેવ તરીકે ઉપાસના કરીએ છીએ. સંગને રંગઃ ભગવાન અસંગ છે, માટે જ ભક્તિનું અંગ છે. શ્રી જિનભકિત મેક્ષાર્થે છે. શ્રી વીતરાગની સેવાથી વીતરાગ થવાય છે, માટે તેનાથી મુક્તિ મેળવી શકાય છે. રાગ દુર્ગતિદાયક
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy