SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે વીતરાગ હોય, તે ભક્તિથી પ્રસન્ન પણ થાય નહિ અને આશાતનાથી અપ્રસન્ન પણ થાય નહિ, તે પછી એ દેવ ભલું શું કરે? ભક્તિથી પ્રસન્ન થતા હોય, તે તે એ દેવ આપણી વિદોને હરે અને આપણા દુશ્મનને જેર કરે, પણ જે દેવ સેવાથી પ્રસન્ન થાય નહિ અને આશાતનાથી અપ્રસન્ન થાય નહિ, તે દેવ આપણું ભલું અને આપણા દુશ્મનનું ભૂંડું કરે શી રીતિએ? આપણે પણ કહીએ છીએ કે- એવા દેવ આપણું એવું ભલું અને દુશ્મનનું એવું ભૂંડું કરી શકે જ નહિ, તે પછી એમની સેવાથી ફાયદે ? આપણે એમને તારક કેમ માનીએ? આને ખૂલાસે એ છે કે-શ્રી વીતરાગદેવ પ્રત્યે સાચી શ્રદ્ધા પેદા થવાથી, દુશમનાવટની ભાવના જ ભાગવા માંડે છે. દુશમનનું પણ ભૂંડું કરવાની વૃત્તિ ટકી શકતી નથી. કેઈનું ય ભૂંડું થાય અને એ રીતિએ મારું ભલું થાય, એવી મને વૃત્તિ તરફ અભાવ પ્રગટે છે. પિતાનું ભલું પણ શ્રી વીતરાગ બનવામાં જ છે, એમ લાગે છે. શ્રી વીતરાગ બનવા માટે, શ્રી વીતરાગદેવ આપણુ સમક્ષ આદર્શરૂપે રહે છે. જેમ જેમ એ તારકની ભક્તિમાં આપણું ચિત્ત પરોવાય છે, તેમ તેમ આપણી વીતરાગ બનવાની ભાવના સતેજ બનતી જાય છે અને એથી શ્રી વીતરાગ-પ્રણીત માગને આચરવાને આપણે ઉત્સાહ વધતું જાય છે. શ્રી વીતરાગ દેવની ભક્તિ આવું અનુપમ ફળ આપે છે. સુખ અને દુઃખને સર્જક ઈશ્વર નથી, પણ પિતાપિતાના મન-વચન-કાયાના ગોનાં પ્રવર્તને સુખ-દુઃખનાં સર્જક છે. મન-વચન-કાયાના ગેનું પ્રવર્તન જેવું હોય તેવું પરિણામ આવે. શ્રી વીત
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy