SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ = = શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્રણ ઉત્તરપદોને કમ પણ વાસ્તવિક જ છે: કને જા, વિના વા અને પુર વા'—એ ત્રિપદીમાં દ્વાદશાંગીના સમસ્ત સારને સમાવેશ થઈ જાય છે. આ ત્રિપદીને ક્રમ પણ ઘણું જ વાસ્તવિક છે. “ભગવાને પહેલા પ્રશ્નના ઉત્તરમાં “પુને વા” એમ કેમ ફરમાવ્યું અને “વિ વા” અથવા “ધુ વા” એ ઉત્તર પહેલા જ પ્રશ્નના જવાબમાં કેમ ફરમાવ્યો નહિ?”—એ વાત પણ જરા વિચારી લઈએ. પહેલા જ પ્રશ્નના ઉત્તરમાં જે વિ શા” કહેવામાં આવ્યું હતું, તે તે અસ્થાને ગણાત અને ઘણી મોટી મુંઝવણને પેદા કરત. દ્રવ્યને વિગમ અથવા વિનાશ થાય છે, એમ કેઈ કહે, તે પહેલી જ મુંઝવણ એ થાય કે-જે ઉત્પન્ન થયેલ નથી, તેને વિનાશ જ શાને હોય? વિગમ અથવા વિનાશ તે તેને જ હોય ને, કે જે ઉત્પન્ન થયેલ હોય? કઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવ્યા વિના વિનાશને પામે, એ બને જ શી રીતિએ? વળી જે વિનાશ થાય છે એ જ તત્વ હોય તો જગતનું અસ્તિત્વ સંભવે શી રીતિએ ? જે જન્મે એનું મરણું થાય, પણ જેને જન્મ જ થયે નથી એનું મરણ થાય ખરું? નહિ જ, માટે ભગવાને પહેલાં “૩ ઘા” એ ઉત્તર આપ્યા પછીથી, બીજા પ્રશ્નના ઉત્તરમાં “વિજા રા' એ ઉત્તર ફરમાવ્યો તે વ્યાજબી ઠરે છે. કેઈ કહેશે કેતે બધુ જા” એ ઉત્તર પહેલા પ્રશ્નના જવાબ રૂપે કેમ ફરમાવ્યું નહિ ? પ્રથમ પ્રશ્નના ઉત્તર રૂપે “દવા” એમ પણ જે ભગવાને ફરમાવ્યું હોત, તે તેથી પણ મટી
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy