SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વેલે ધર્મ જ વસ્તુતઃ ધર્મ હોઈ શકે, એ સિવાયના મા તારક દેવ ગણાય, ન ગુરૂ ગણાય, ન ધર્મ ગણાય; તે શ્રદ્ધાળુ માણસ કે તિર્યંચ વૈમાનિક દેવગતિથી ઓછા અગર અન્ય ગતિના આયુષ્યને બાંધે જ નહિ. શ્રી વીતરાગની અવિરાધિત શ્રદ્ધા સહિત જે મરે, તે છેવટમાં છેવટ વૈમાનિક દેવ તે થાય જ. શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા માત્રથી જ નરકગતિ અને તિર્યંચગતિ રોકાઈ જાય છે. શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાળે બનેલ છવ, નરકગતિમાં કે તિર્યંચગતિમાં જાય જ નહિ, સિવાય કે-એણે શ્રદ્ધાળુ બનતાં પહેલાં જ આયુષ્યકમને ઉપાર્યું હોય અગર તો એ પોતાની શ્રદ્ધાને ગુમાવી બેસે. જ્યાં સુધી શ્રદ્ધા ટકી રહે અને સંસારમાં પરિભ્રમણ કરવાનું હૈયું, તે એ જીવ કાં તે દેવગતિમાં જાય, કાં તે મનુષ્યગતિને પાસે, પણ તિર્યગતિને કે નરકગતિને તે એ જીવ પામે જ નહિ. રાગ અને દ્વેષથી રહિત એવા દેવની માત્ર સાચી શ્રદ્ધા થઈ જાય, તે પણ આટલે બધે લાભ થાય છે. સંયમને સ્વીકાર્યા વિના નિભ્રમણનું સર્વથા નિવારણ ન થાય એ ખરુંપરિબ્રમણથી સર્વથા છૂટવાને ઈચ્છનારે સંયમને સ્વીકાર્યા વિના છૂટકે જ નથી, તથાપિ જેને માત્ર શ્રી વીતરાગ દેવની સાચી શ્રદ્ધા થઈ, તેને પણ છાસઠ લાખ નિઓનું પરિભ્રમણ કપાઈ જ જાય છે બંધ થઈ જાય છે. એને ફરવાનું હોય તે માત્ર અઢાર લાખ યોનિઓમાં જ હોય છે. જીવાનિ ચોરાશી લાખ છે, તેમાંથી માત્ર અઢાર લાખ પેનિઓમાં જ પરિક્ષમણ રહે, એટલે એ જીવના પરિભ્રમણનાં ક્ષેત્રો ચેથા ભાગથી પણ ઓછાં રહ્યાં ને? જ્યારે શ્રદ્ધા માત્રથી પણ આવે, આટલો
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy