SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૧૯ જે જે પ્રકારનાં દાનાદિ, જેટલા જેટલા પ્રમાણમાં સંભવિત હેય, તેટલા તેટલા પ્રમાણમાં તેને પ્રકારનાં દાનાદિ જરૂર કરે. જેમ કે-જ્ઞાનનું દાન. ધર્મોપદેશ એ પણ જ્ઞાનદાન જ છે. બાકી તમે જે દુન્યવી દષ્ટિએ, પદ્ગલિક દૃષ્ટિએ દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યના ઉપયોગની વાત કરતા હે, તે જેઓનાં ચાર ઘાતી કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તેઓને માટે એ સંભવિત છે? અન્તરાય કર્મ ગયું, એટલે અન્તરાય કરનાર કેઈ રહ્યું નહિ, પણ ભૂલવું નહિ કે-મોહનીય કય સર્વથા ક્ષીણ થઈ ગયું છે. અહીં એ આત્માઓની અવસ્થાને ખ્યાલ રાખીને વિચાર કરે જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તે વિચારણાને ઉન્માર્ગે વહી જતાં વાર લાગે નહિ. . દરેક વસ્તુને ઉડાણથી વિચાર કરવો જોઈએ: - આ તે શું, પણ દરેક વાતને વિચાર સંગ–સ્થિતિ આદિને લક્ષ્યમાં રાખીને કર જોઈએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ખેડુતના જીવને પ્રતિબોધવાને માટે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીને મોકલ્યા. એ મહાપુરૂષે ખેડુતેની પાસે જઈને તેને પ્રતિબંધ પમાડ્યો અને ખેડુતે તરત જ ભાગવતી દીક્ષાને સ્વીકાર કર્યો. એ ખેડુત મુનિને લઈને, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે આવ્યા. એ ખેડુત મુનિએ જેવા ભગવાનને જોયા કે તરત જ ભગવાનના આત્મા પ્રત્યેને તેને વૈરભાવ જાગૃત થઈ ગયા અને એથી તે ખેડુત મુનિ રહરણને ફેંકી દઈને ત્યાંથી ભાગી ગયો. અહીં ખ્યાલ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy