SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ શાન અને જ્ઞાની-ઉભયની સ્તવના કરી, કેમ કે-જ્ઞાનથી પરમ મંગલ કોઈ નથી. કેવલજ્ઞાની જ સર્વજ્ઞ હોઈ શકે કેવલજ્ઞાની ભગવંત જગતના ચરાચર, રૂપી અને અરૂપી દ્રવ્યોને અને પર્યાને જાણનારા છે. કેવલજ્ઞાની લેકને જ જાણે છે એમ નહિ, પણ તેઓ અનંતા અલકને પણ જાણનારા છે અને તેના અગુરૂ-લઘુ પર્યાને પણ જાણનાર છે. સર્વ કાલના એટલે અનન્તાનઃ ભૂતકાલના, વર્તમાન કાલના તેમ જ અનન્તાનન્ત ભવિષ્યકાલના પણ સર્વ દ્રવ્યના સર્વ પર્યાને કેવલજ્ઞાની ભગવતે જાણનાર હેય છે, એ કેવલજ્ઞાનનું અદ્ભુત સામર્થ્ય છે. એમ પણ કહી શકાય કે-એક પણ હવશ્વના સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાએને જે જાણે તે કેવલજ્ઞાની ભગવન્ત; કેમ કે-સર્વ દ્રવ્યના સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાયોને જાયા વિના, એક દ્રવ્યના પણ સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાને જાણી શકાતા નથી ! સર્વિસે થયા છે, થાય છે અને થશે? આ વાત આપણે અહીં થોડાક વિસ્તારથી વિચારવા છે, કારણ કે-કેટલાક દેઢચતુરે સર્વજ્ઞાપણાની વાતમાં પણ સર્વજ્ઞાપણું હોઈ શકે કે નહિ—એવાં ચેડાં કાઢે છે. કેટલાક કહે છે કે અમે સર્વસને માનતા નથી, કેમ કે કોઈ પણ માણસ સર્વજ્ઞ બની શકે એ શક્ય નથી. કેટલાકો તે ત્યાં સુધી કહે છે કે- જૈનાચાર્યોએ કેવલજ્ઞાનની વાત ઉપજાવી કાઢેલી છે. જૈનાચાર્યો કેવલજ્ઞાનની જેવી વ્યાખ્યા કરે છે, તેવું ૧૦
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy