SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૧૪૧ છે. દાન કરવાને માટે કમાવાને ઉપદેશ છે જ નહિ. શ્રી જિનસ્તુતિ માટે પહેલી જરૂર ભવનિર્વેદની: આપણ ચાલુ વાત તો એ હતી કે-જગતના જીવને કયી વસ્તુમાં પ્રયત્નપૂર્વક પ્રવર્તાવવા પડે એવું છે ? અર્થ અને કામના પ્રયત્ન માટે તે, જગતના જીને કહેવું પડે તેમ છે જ નહિ. અર્થ અને કામની લાલસાનું જોર તે એવું છે કે-એ દિશાના પ્રયત્નમાંથી જગતના જીવને વારવા એ જ મુશ્કેલ છે. અનાદિકાલથી એ જ દિશાના પ્રયત્નનો જગતના અને અભ્યાસ છે, એટલે સદ્દગુરૂઓના ઉપદેશથી મુક્તિમગને પ્રયત્ન કરવા માંડનારા જીવને પણ ઘણી વાર પાછા પટકાઈ જતાં વાર લાગતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને આ જગતના જીવે ઉપર મોટામાં મોટો ઉપકાર તે એ જ છે કે એ તારકેએ મુક્તિમાર્ગને દર્શાવ્યું છે. એ તારકેની સ્તુતિની આ વાત છે. ટીકાકાર પરમષિએ કહ્યું કે-“પ્રયત્નપૂર્વક સ્તુતિ કરૂં છું” એટલે આપણે વિચારીએ છીએ કે-“પ્રયત્નપૂર્વક કેમ? સ્તુતિ કરવાનું મન ક્યારે થાય? મન થાય તે ય સ્તુતિ કરવામાં રસ ક્યારે આવે? અને રસ આવે તે પણ એમાં શુદ્ધિપૂર્વકની મન-વચન-કાયાની એકતાનતા ક્યારે આવે ? જ્યાં સુધી મુક્તિની રૂચિ પ્રગટે નહિ, ત્યાં સુધી “મુક્તિનો માર્ગ દર્શાવ્યો છે, એ ભગવાનનો અનુપમ ઉપકાર છે –એમ લાગે જ નહિ; તે પછી સ્તુતિ કરવાની વૃત્તિ પ્રગટે જ ક્યાંથી? જ્યારે જીવને એક માત્ર મુક્તિને જ સાધવાની રૂચિ થાય, ત્યારે એની નજર મુક્તિમાર્ગને દર્શાવનારા ભગવાન ઉપર સાચા રૂપમાં ઠરે. ભગવાનના ઉપકા
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy