SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ એ તારક અને એ તારકેને અનુસરનારાઓ સિવાય તે કઈ જ આત્મા, આ સંસારમાં વાસ્તવિક રીતિએ સ્તુતિ કરવાને લાયક નથી.” જેઓને આવી સમજ પ્રાપ્ત થઈ હોય, તેઓના અન્તરમાં એવું પણ પ્રગટે જ છે કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવની શુદ્ધ ભાવપૂર્વકની સ્તવનાથી, કાંઈ પણ સારૂં અલભ્ય નથી અને શ્રી જિનસ્તવનાથી જે કાંઈ પણ સારું અલભ્ય હેય, તે તે બીજા કેઈની પણ સ્તવનાથી લભ્ય બની શકે જ નહિ.” જેઓમાં આવી સમજ અને આવી શ્રદ્ધા પ્રગટી હોય, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવની જ્યારે જ્યારે સ્તુતિ કરે, ત્યારે ત્યારે તે સ્તુતિ કેવા ઉલ્લાસથી કરે? એ વખતે એ સ્તુતિ કરનાર પુણ્યાત્મા મનવચન-કાયાની કેવીક એકતાનતા અનુભવે ? ખરેખર, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ થયા પછી, આત્મા એ તારકેની જેટલી જેટલી સ્તુતિ કરે છે, તે તેને ઓછી ને ઓછી જ, અધુરી ને અધુરી જ લાગ્યા કરે છે. કારણ શું? કારણ એ જ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ એવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય છે. ૩. પ્રયત્નપૂર્વકની શ્રી જિનસ્તુતિપ્રયત્નપૂર્વક ભગવાનની સ્તવના : - આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાને રચવાની શરૂઆત કરતાં, ટીકાકાર પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, મંગલાચરણુતા પહેલા કમાં,
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy