SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂવરનાં વ્યાખ્યા છે પણ પેલે જજમાન પોતાના ધર્મવ્યવહારમાં બહુ ચુસ્ત હતે. સ્નાનમાં પણ એ પરમ ધર્મ માનતે હતે. ઈતર ઇનેમાં ન્હાવામાં ચ ધર્મ માને છે. - સ્નાન કરવામાં પાણીના અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે, માટે તે આપણે ત્યાં સાધુઓને સ્નાન કરવાને નિષેધ કરાયો છે અને શ્રાવકને પણ શ્રી જિનપૂજનના અર્થે જ સ્નાન કરવાનું સૂચવાયું છે. આપણે ત્યાં ઉપદેશ સ્નાનને નથી, પણ શ્રી જિનપૂજાને માટે આવશ્યક શુદ્ધિનો ઉપદેશ છે, માટે વિધાન એવું કે-પરિમિત જલ લેવું. જરૂરથી જરા પણ વધારે જલ લેવું નહિ અને જેમ બને તેમ ઓછા જલથી શરીરની શુદ્ધિ કરવી. તેટલું જલ પણ થતાપૂર્વક લેવું, બરાબર ગાળીને લેવું અને જે જગ્યાએ નાન કરવાનું હોય, તે જગ્યાએ પણ કોઈ -જીવની વિરાધના થાય તેમ ન હોય, તે જોઈને સ્નાન કરવાને બેસવું. સ્નાનનું જલ ક્યાંક ભરાઈ રહેવાથી ઉત્પત્તિ ન થાય, તેની પણ કાળજી રાખવાની. શ્રી જિને કહેલી ક્રિયા કરવામાં પણ તેનાથી વર્તાય તે જ ધર્મ છે. શ્રી જિનપૂજા માટે શરીરની શુદ્ધિ આવશ્યક છે અને શરીરની શુદ્ધિ ખાન વિના થઈ શકતી નથી, માટે સ્નાન કરવાનું. પ્રભુપૂજાના હેતુ વિના સ્નાન કરે, એ શરીરસેવા જ છે અને પ્રભુપૂજના હેતુથી પણ પતનાથી રહિતપણે, જરૂર કરતાં અધિક જલથી, સ્નાન કરવું એ પાપ છે, કેમ કે-વિધિનું ઉલ્લંઘન છે. : પ્રશ્નશહેરમાં તે ગટરે રહી. નિર્જીવ જમીન - બળે નહિ. નિરૂપાય દશામાં પણ વિધિનું લક્ષ્ય તે હેવું જ જોઈએ.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy