SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જિનેન્દ્ર ભગવાનની સ્તવન કરતો હોય, તે શ્રી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓને સમજવાને માટે તથા એ આજ્ઞાઓનું પાલન કરવાને માટે કેટલે બધે પ્રયત્નશીલ હોય? એ આદમી, તેવા પ્રકારના સંગોના વશથી,શ્રી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓનું જ જેમાં પાલન હોય-એવા જીવનને જીવી શકતો ન હોય, તે પણ એનું મન ક્યાં હોય? સંસાર તરફ કે મોક્ષમાર્ગ તરફ? એની બાહ્ય ક્રિયાઓ સંસાર તરફની હેય તે તેવા પ્રકારના સાગવશાત્ જ છે, તેવી ક્રિયાઓને પણ છેડવાની જ એની ચાહના છે અને કેવળ ભગવાને કહેલી ક્રિયાઓને જ આચરવાની એની ભાવના છે, એમ માનવું પડે. મેઢેથી શ્રી જિનેન્દ્રની સ્તવના કરે અને એની આજ્ઞાઓના પાલનની દરકાર જ ન હય, એ આદમી વાસ્તવિક રીતિએ તે શ્રી જિનેન્દ્રની સ્તવના કરનાર છે જ નહિ. શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવના સાચી હોય, ભાવમયી હોય, તો સ્તવના કરનારને જેમ શ્રી જિનેન્દ્ર ભગવાનની નિર્મલતાને ખ્યાલ આવે, તેમના પિતાના આત્માની મલિનતાને પણ ખ્યાલ આવે. એ તારકના વીતરાગપણને જેમ ખ્યાલ આવે, તેમ પિતાની ભાગ-દ્વેષની કલુષિતતાને પણ ખ્યાલ આવે. એ તારકના સર્વપણને જેમ ખ્યાલ આવે, તેમ એ આદમીને પિતાની મહા અજ્ઞાનદશાને પણ ખ્યાલ આવે. એ તારક બહુ સારા; સર્વ દેથી રહિત અને સર્વ ગુણોથી સંપન્ન–એવું માત્ર મેંહેથી જ બાલ્યા કરે, તે એથી શું વળે? “એ તારકના શરણને સ્વીકારીને, એ તારકની આજ્ઞાઓને અનુસરીને, મારે પણ એવા સર્વ દોષથી રહિત અને સર્વ ગુણેથી સંપન્ન બનવું
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy