SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે, એવી અમૃતિ તાજી થઈ. વગર ઉપગે ઉપયોગમાં આવે એવું જ્ઞાન આપણી પાસે નથી. શ્રી નાગકેતુના જીવનનું જ્ઞાન હતું, પણ પ્રશ્નોના નિમિત્તથી તે જ્ઞાન ઉપગને પામ્યું. વળી આ કથાના પ્રસંગેથી–તેના વર્ણનમાં ઉતરવાથી, પીઠિકા સુન્દર અને મજબૂત બનતી જાય છે. શ્રી ભગવતીજી સૂત્રને સાંભળવાની લાયકાત તમારામાં ન હોય તે આવે અને હેય તે તે નિર્મલ બને, એ માટે પણ આ વર્ણન ઉપયોગી છે. પ્રસંગે પ્રસંગે આ કથામાં અને તે પૂર્વે પણ જે જે બાબતે કહેવાઈ છે, તે બાબતે જે તમને બરાબર યાદ રહેશે, તે તમે ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ કરતાં કરેલી શ્રી જિનસ્તુતિના સારને તેમજ તે પછી આવનારા અધિકારના સારને બહુ જ સારી રીતિએ ગ્રહણ કરી શકશે. . . * સન્મિત્રની સાચી સલાહથી, વણિકપુત્ર યથાશક્તિ તપઆશ્ચરણ કરવામાં રક્ત બની ગયો છે, એવામાં શ્રી પર્યુષણ પર્વ નજદિકમાં આવી પહોંચે છે. આથી એક વાર રાતના સુતી વખતે તે વણિકૂપુત્ર મનમાં એ નિશ્ચય કરે છે કે આગામી પિયુંષણાપર્વમાં હું અવશ્ય અમનો તપ કરીશ.” આવે વિચાર કરીને તે સુઈ ગયો. એ વણિપુત્રને સુવાને માટેની રજની જગ્યા તે બીજી હતી, પણ ભવિતવ્યતાના ચગે તે વિણિપુત્ર તે રાત્રે ઘાસની ઝુંપડીમાં સુઈ ગયે.. . એની અપરમાતાના હૈયામાં તે એના પ્રત્યે અતિશય - ષ હતું અને એથી એ બાઈ તો એના મૃત્યુને જ ઝંખી રહી હતી. વણિકચ્છત્રનું મન જેટલું વિશુદ્ધ હતું, તેટલું જ તેની અપરમાતાનું સન અશુદ્ધ હતું. તેણીને ખબર પડી કે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy