SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન નાખી. વણિપુત્રને જે પીડા ભોગવવી પડતી હતી, તે પીડાના કારણ રૂપે વણિકપુત્ર પિતાની અપરમાતાને સમજતો હતો, જ્યારે તેના મિત્રે તેને સમજાવ્યું કે- તારી પીડાનું મૂળ કારણ તે તૂ પિોતે જ છે. તૂ પોતે જે તારી પીડાનું કારણ બને ન હત, તે તારી અપરમાતા તને પીડા આપવાને સમર્થ બની શત જ નહિ. તને પીડા આપવા જેગું તારી અપરમાતાનું સામર્થ્ય, મુખ્યત્વે તે તારા પિતાના જ દેશને આભારી છે. પૂર્વભવે તે પાપ આચર્યું છે અને પુણ્ય આચર્યું નથી, માટે જ તું તારી અપરમાતા તરફની પીડાને ભેગ બની ગયો છે. અહીં પણ જૂઓ કે-જ્ઞાન વિવેકપૂર્વકનું હોય તે કેવી સલાહ આપવાનું સુઝે છે? વિવેકપૂર્વકને જ્ઞાની એવી સલાહ આપે કે-એ સલાહને અનુસરવાથી કેઈને ય નુકશાન થાય નહિ અને શક્ય એટલે સૌને લાભ થાય. વણિકૃપુત્રને એના મિત્રે જે સલાહ આપી છે, તે એવી છે કે-વણિકપુત્રને પિતાના પિતા તરફ કે પિતાની અપરમાતા તરફ રેષ પ્રગટે નહિ અને પહેલાં તેમના તરફ જે રેષ પ્રગટ હોય, તે તે પણ ચાલ્યા જાય. એના ગે તે પાપચિન્તાઓથી તથા પાપકાથિી અટકી જાય અને પુણ્યકાર્ય તરફ વળે. આમ બે ય પક્ષનું કલ્યાણ થાય. વણિકપુત્રને એના મિત્ર એ જ કહ્યું છે કે'त्वया पूर्वजन्मनि तपः न कृतं, तेनैवं पराभवं लमसे।' પૂર્વજન્મમાં તે તપ નથી કર્યો, તેથી તું આવા પાભવન–બીજાઓ તરફથી આવતી પીડાઓને પામે છે ! • આ વાત ઘણી ટૂંકી છે, પણ આ ઘણી ટૂંકી વાતમાં ય ઘણે મેટો સાર રહે છે. સલાહ આપે તે આવી આપે !
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy