SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માં દુશ્મન વગેરે પણ હોઈ શકે. અનન્તાનન્ત ભવેમાં એક જીવને અન્ય જીની સાથે અનન્તાનઃ સારા-માઠા સંબંધ થયેલા હેય. “આ બીજાને પુત્ર છે” અગર “આ મારે પુત્ર છે-એ જ્ઞાન જે વિવેકપૂર્વકનું હોય, તે આવા ઘણા ખ્યાલે આવે, જ્યારે એ જ્ઞાન જે વિવેકહીન હોય, તો પારકે કેવળ પારકે જ અને પિતાનો કેવળ પોતાનો જ લાગે. આવું લાગે તેમાં એ જીની સાથેના અન્ય સંબંધનો નિષેધ થઈ જાય છે, માટે તે જ્ઞાનને અજ્ઞાન અગર મિથ્યાજ્ઞાન કહેવાય છે. વિવેક હોય ત્યાં રાગ-દ્વેષનો સર્વથા અભાવ જ હોય એવું કહેવાય નહિ, પણ વિવેક હોય ત્યાં જે રાગ-દ્વેષ હોય તે અન્ય બનાવનાર ન હોય. “આ મારે પુત્ર અને આ પારકા પુત્ર –એવું લાગે, તે પણ “મારે આત્મા એકલે છે, હું કેઈનો નથી અને કેઈ મારું નથી; જીવ માત્ર સ્વતન્ય છે, સંબંધ કર્મજન્ય છે; સારાનરસા કર્મથી સારા-નરસે સંબંધ હોય, કમનો ફંદ ન હોય તે કશે સંબંધ ન હોય.” આ ખ્યાલ પણ વિવેકના મેગે આવ્યા વિના રહે નહિ. આ પારકે પુત્ર અને આ મારો પુત્ર”—એ જ્ઞાન સર્વથા છેટું પણ નથી અને સર્વથા સાચું પણ નથી. અપેક્ષાએ એ જ્ઞાન સમ્યફ પણ છે અને અપેક્ષાએ એ જ્ઞાન મિથ્યા પણ છે. આપણે વિચારી આવ્યા તેમ વિવેકપૂર્વકનો ખ્યાલ હોય તો એ સમ્યજ્ઞાન છે અને એ ખ્યાલ ન હોય તે અન્ય સંબંધને નિષેધ થતો હોવાથી એ જ્ઞાન મિથ્યા છે. આ ઉપરથી તમે સમજી શકશે કે-વિવેકશૂન્ય અને વિવેકને પમાડવામાં અસમર્થ એવા જ્ઞાનને, શ્રી જૈનશાસન કયા કારણે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy