SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા . શ્રી નાગકેતુ આગલા ભવમાં એક વણિપુત્ર હતા. તેમની માતાનું મૃત્યુ થવાથી, તે બાલપણમાં જ માતાવિહેણા થઈ ગયા હતા. એ વણિપુત્રના પિતાએ એક પત્નીનું મૃત્યુ થતાં બીજી પત્ની કરી. મેટે ભાગે સ્ત્રીઓને બાળકને ચાહ બળને મેહ વિશેષ હોય છે, પરતુ તે પોતાનાં જ બાળકે નેઅતિ મમતાશીલ જીવને સ્વભાવ બહુલતયા એ હોય છે કે-“જે મારું નહિ તે સારું નહિ અને જે મારે તે અવશ્ય સારું.” મમત્વ અન્ય બનાવે છે, તે આનું નામ. પિતાને હેય તે કાળે પણ રૂપાળે લાગે અને પારકે હેય તે રૂપાળો પણ કદરૂપો લાગે. આંખના પણ કરતાં પણ મમત્વનું અંધપણું વધારે ખરાબ છે, કારણ કે-જે જેમ હોય, તેને તે રૂપે જોઈ શકાતું નથી. “જે મારે તે જ સારે અને જે મારે નહિ તે સારે પણ નહિ–આ જેવી–તેવી અન્યતા નથી. શ્રી નાગકેતુના જીવને, તેના પિતાએ બીજી પત્ની કરવાથી, માતા તે મળી, પણ તે અપરમાતા મળી ! માતા મળવાથી બાળકને આનંદ થાય, સુખ થાય, શાન્તિ થાય જ્યારે શ્રી નાગકેતુના જીવ વણિપુત્રને માતાના અભાવનું દુઃખ તે હતું જ અને એ સિવાય જે કાંઈ સુખશાન્તિ હતી, તે પણ અપરમાતા આવતાં હરાઈ ગઈ. અપરમાતાએ તેને ખૂબ જ પીડવા માંડ્યો. છોકરો પોતાને નથી, પણ પિતાના ધણીને તે છે ને? અપરમાતાને પણ છોકરે માતા કહીને જ સંબધે છે ને? પણ વિવેકહીન હોવાથી અતિશય મમત્વવાળું હૈયું હોય, એટલે એને પારકા ઉપર પ્રેમ થવાને બદલે ઈષ્ય જાગે દયા પણ આવે નહિ.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy