________________
૫૨૪]
વૈય નિર્જિત મંદરા,
[શ્રા. વિ.
કામરાગના વિજય કેથી રીતે કરવા ? પાછલી રાત્રિએ ઊંઘ મંડી જાય ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવુ'. માટે જંબુસ્વામી, સ્થૂલલ સ્વામી આદિ મ્હોટા ઋષિઓએ તથા સુદન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવુ શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેના જય કરવાને માટે જે ઉપાય કર્યો તે, સસારની અતિશય વિષમ સ્થિતિ, અને ધર્માંના મનોરથ મનમાં ચિંતવવા.
તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિ’દ્યપણું, વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજય શ્રી મુનિમુ દરસૂરિજી મ. સા. એ અધ્યાત્મકપદ્રુમમાં કહ્યું છે કે-અરે જીવ! ચામડી, હાડકાં, મજ્જા, આંતરડાં, ચરખી, લેાહી, માંસ, વિષ્ટા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદ્ગલેાના સ્કંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શુ લાગે છે? અરે જીવ! થોડી વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ ક્રૂર પડેલી જોવામાં આવે, ને તું શું શું કરે છે, અને નાક મરડે છે, એમ છતાં હું મૂર્ખ! તે જ અશુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની શા સારૂ અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કાયળી જ ન હેાય ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મિલન થએલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મેહમાં પડી જે ભોગવે છે, તેથી તેને નરક મળે છૅ.