________________
સ્વરૂપથી દિસે સાવધ, [૩૭૯: અપમાન તથા વખતે દંડ વગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લેકેનું કું સપમાં રહેવું નાશનું કારણ છે કેએક પેટવાળા અને જુદાં જુદાં ફળની ઈચ્છા કરનારા ભારંડ પક્ષીની પેઠે કુસંપમાં રહેનારા લોકોને નાશ થાય છે. જે લકો એક બીજાનાં મનું રક્ષણ કરતા નથી. તે રાફડમાં રહેવા સર્પની પેઠે મરણ પર્યત દુઃખ પામે છે. કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તે ત્રાજુ સમાન રહેવું; પણ સ્વજન સંબંધી તથા પિતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈરછાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું.પ્રબળ લકોએ દુર્બલ લોકોને ઘણું દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા ડે અપરાધ હોય તે એકદમ તેને દંડ ન કરવો. દાણ, કર વગેરેથી પીડાયેલા લેકે માહમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તે ઘણા બલિષ્ટ લેકે પણ વગડામાંથી જુદા પડેલા સિંહની પેઠે
જ્યાં ત્યાં પરાભવ જ પામે છે. માટે મહામહે સંપ રાખવો એજ સારું છે. કેમકે–માણસોને સંપ સુખકારી છે, તેમાં પણ પિતા પોતાના પક્ષમાં તે અવશ્ય સંપ હોવો જ જોઈએ. જુઓ ફેતરાથી પણ જુદા પડેલા ચોખા ઊગતા નથી. જે પર્વતને ફેડી નાંખે છે તથા ભૂમિને પણ વિચારે છે, તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રોકે છે. એ સંપને મહિમા છે. પિતાનું હિત ઈચ્છનારા લોકોએ ધનને વ્યય કરનારા રાજાના. દેવસ્થાનના અથવા ધર્મ ખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણના વ્યવહાર ન કરે, અને જ્યારે આમ છે તે રાજાની સાથે વ્યવહાર ન જ કરે એમાં