SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬] તે નિધન ગતિ વરે છે તુજ. (૭૬) [શ્રા. વિ. વૃદ્ધિ જોઈને મત્સર કરે? તેમજ ધાન્યનાવેચાણમાં લાભથવાને અર્થે દુભિક્ષની ઔષધીમાં લાભથવાને અર્થે રેગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લા મથવાને અર્થે અગ્નિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી; કારણકે, જેથી લેકે સંકટમાં આવી પડે એવી ઈચ્છાકરવાથી કર્મબંધન થાય છે. દુર્દવના વેગથી કદાચિત દુકાળ પડે તે પણ વિવેકી પુરુષે “ઠીક થયું એમ પણ ન કહેવું તેથી પોતાનું મન મલિન થાય છે. દ. ૫૯ મન મલિન અંગે બે મિત્રોનું દૃષ્ટાંત-બે મિત્ર હતા, તેમાં એક ઘીની અને બીજે ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં વૃદ્ધસ્ત્રીને ત્યાં ભોજનકરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમને ભાવ જાણ ઘી ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. બન્ને જણાખરીદી કરીને પાછા તેજ વૃદ્ધીને ત્યાં આવ્યા. ત્યારે ચામડાખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. પછી પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો, અને જેનું મનમલિન હતું તેને બહાર નિંદા ન થાય તેટલો લાભ લેવો, કાળાબર ન કરવા–સે રૂપયે ચાર પાંચ ટકા સુધી ઉચિતવ્યાજ અથવા “વ્યાજમાં નાણું બમણું થાય.” એવું વચન છે, તેથી ધીરેલાદ્રવ્યની બમણવૃદિધ અને ધીરેલાધાન્યની ત્રમણવૃદિધ થાય તેટલે લાભ વિવેકી પુરુષે લે. તથા જે ગણિમ, ધરિમાદિ વસ્તુને કાંઈ કારણથી ક્ષય થઈ ગયું હોય, અને આપણી પાસે હોય તે તેને ચઢતે ભાવે એટલે લાભ થાય તેટલે લે, વધુ નહિ. કેઈ સમયે ભાવિભાવથી કઈ વસ્તુને નાશ
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy