SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ રર૦] પાલે જે યવહાર; [શ્રા. વિ. પરીપે ગયે, અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, મ્હારૂં ભાગ્ય ઊઘડ્યું. કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ :ભાંગ્યું નહીં. અથવા હારૂ દુર્દવ આ વખતે પિતાનું કામ ભૂલી ગયું. પાછા વળતાં તે વડાણને કકડા થયા. દેવગથી નિપુણ્યકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યું, અને ત્યાંના ઠાકરને ત્યાં રહ્યો. એક દિવસે એ ઠાકરના ઘરે ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકરને પુત્ર જાણી પકડી બાંધીને પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે બીજા કેઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીને મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનશીબ જાણીને કાઢી મૂકશે. જેમ માથે ટાલવાળા પુરૂષ માથે તડકે લાગવાથી ઘણે જ તપી ગયે, અને શીતળ છાયાની ઈચ્છાથી દેવગે બિલીના ઝાડ નીચે જઈ પહશે. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક મોટા બિલીના ફળથી તેનું માથું ભાંગ્યું. મતલબ કે, કમનશીબ પુરૂષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુદા જુદા નવસે નવાણું સ્થળેના વિષે ચેર, જળ, અગ્નિ સ્વચક, પરચક, મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લેકેએ કાઢી મૂકો. ત્યારે તે મહા દુઃખી થઈ એક મહટી અટવીમાં આરાધક જનેને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામ યક્ષને મંદિરે આવ્યું. પિતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગે એકવીસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે “દરરોજ સંધ્યા
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy