SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ખાં મોહનીય કમ ભગવતી શ-૧ -૩ ૩. ચરિત્રાતર: ચારિત્રના વિષયમાં શંકા કરે છે જેમ કે - સામાયક ચારિત્રમાં સર્વસાવદ્ય પ્રવૃત્તિને ત્યાગ થઈ છે છતાં પણ છેદયસ્થાપનીય ચારિત્ર દેવાની શી આવશ્યકતા છે? ઉત્તર: પ્રથમ - તીર્થકરના સાધુ અજુ જડ હોય છે અને અંતિમ તીર્થકરના સાધુ વક્ર જડ હોય છે માટે પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓને ચારિત્રનાશની બ્રાંતિથી સમજાવવા માટે છેદો પરસ્થાપનીય ચારિત્ર દેવામાં આવે છે. વચ્ચેના ૨૨ તીર્થકરના, સાધુ નાજુપ્રાસ હોય છે. તેને ક્રાંતિ થતી નથી માટે તેને સામાયિક ચારિત્ર જ કહેલ છે. : ૪. લિંગાંતર: પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ માત્ર સફેદ વસ્ત્ર રાખે છે અને વચ્ચેના ૨૨ તીર્થકરના સાધુ પાંચે વર્ણનાં વસ રાખે છે. એ ભેદ શા માટે ? ઉત્તર :- પ્રથમ તીર્થકરના સાધુ જુ જડ અને અંતિમ તીર્થકરના સાધુ વક્ર જેડ હોય છે. તેઓ મેહપૂર્વક ઈચ્છાવાળાં વસ્ત્રગ્રહણ કરે છે એ કારણે તેને માટે સફેદ વસ્ત્ર રાખવાની આજ્ઞા છે. વચ્ચેના ર૪ તીર્થંકરના સાધુઓ ત્રાજુપ્રાજ્ઞ હોય છે. તેઓને રંગભેદમાં વ્યાણ થતું નથી. માટે તેને પંચરંગી વર રાખવાનું વિધાન છે. * . . . પપ્રવચનાંતરઃ એક તીર્થકરના પ્રવચનથી બીજા તીર્થકરના. પ્રવચનમાં અંતર પડવાથી શંકા ઉત્પન્ન કરે છે. જેમ કે પ્રથમ અને - અંતિમ તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રત અને વચ્ચેના ૨૨ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રત બતાવેલ છે. તે આ પ્રમાણે ભેદ શા માટે ? ઉત્તર-બ્રીજા પ્રશ્નના ઉત્તરની સમાન જ આને ઉત્તર છે. ચેથા મહાવ્રતને પાંચમા મહાવ્રતમાં સમાવેશ થઈ જાય છે. કેમ કે સ્ત્રી પરિગ્રહરૂપ છે. પણ જડતા હોય ત્યાં તેમ મનાતું નથી. તેથી સ્ત્રી ત્યાગનું એક મહાવ્રત વધું અને વચ્ચેના ૨૨ તીર્થકરેના સમયમાં ચાર મહાવ્રત કહેલ છે. દ. પ્રવચનિકાંતરઃ (સિદ્ધાંતને ભણે અને જાણે તે) ખાવચનિક અર્થાત્ બહુશ્રુત પુરુષ એક એવા પ્રકારની પ્રવૃત્તિ ભિન્નરૂપે કરે છે અને તેથી બીજા અન્ય રીતે પ્રવૃત્તિ કરે છે. તે તે બંનેમાં એગ્ય શું? ઉત્તર : ચા િમાહનીય કમને ક્ષયેયક્ષમ ભિન્ન ભિન્ન હોવાને કારણે
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy