SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ છn શ્રી ભગવતી ઉપક્રમ એ જ પ્રમાણે નીલ, કાપત, તેજે અને પહેલેસ્થા માટે ૪-૪ ઉદ્દેશા કહેવા; પરંતુ ફેર એટલો કે, તેજલેશ્યામાં ૧૮ અને પલેક્ષામાં ૩ દંડક કહેવા; શુકલલેક્ષામાં પદ્મની જેમ; ૨૮ ઉદ્દેશા થયા, તે ૨૮ ઉદ્દેશ સમુચિય, ભવી, અભવી, સમદષ્ટિ, મિથ્યાણિ, કૃષ્ણપક્ષી અને શુક્લ પક્ષી સાથે કહેવા; સર્વ મળીને ૧૯૬ ઉદ્દેશા થયા. તુંગિકાનગરીના શ્રમણે પાસન્ને પ્રશ્નો - તે ચોથા આરાના કાળમાં જ્યારે ગ્રેવીસમા તીર્થકર ભગવાન વિચરતા હતા તે સમયે “તુંગિકા” નામની સમૃદ્ધ અને મહર નગરી હતી. ત્યાંના શ્રમણોપાસક શ્રત અને ચારિત્ર ધર્મના ઘણું જ અનુરાગી અને શ્રમની ઉપાસના કરનાર હતા. અન્યદા એક સમયે પુષ્પવતી ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાને પ૦૦ નિગ્રંથ ભગવંત પધાર્યા. નગરમાં વાત થતાં ત્યાંના શ્રમણોપાસકે મોટા સમૂહ સાથે પાંચ અભિગમના વિવેકપૂર્વક પુષ્પવતી ઉદ્યાનમાં આવ્યા અને પર્ય પાસના તથા સેવા કરવા લાગ્યા અને ધર્મોપદેશ સાંભળી હર્ષ–સંતોષ પામ્યા અને વિનયપૂર્વક પ્રશ્નો પૂછયા કે, હે સ્થવિર ભગવન્! તપ અને સંયમનું ફળ શું? સ્થવિર ભગવતેએ કહ્યું કે, સંયમનું ફળ સંવર છે અને તપનું ફળ નિર્ભર છે. શમણે પાસકેએ ફરી પૂછયું કે, હે ભગવન્! સંયમનું ફળ સંવર છે અને તપનું ફળ નિર્જરા (વ્યવદ્વાન) છે. તે દેવ, દેવલેકમાં ક્યા કારણથી ઊપજે છે? કાલિકપુત્ર” સ્થવિરે ઉત્તર આપ્યો કે, પૂર્વતપના કારણે દેવતા દેવેલેકમાં ઊપજે છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy