SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભાવી ઉપામ અજીવ કપમાન ગૌતમ હે ભગવન ! પરમાણુ સકંપ છે કે નિષ્કપ છે? મહાવીરઃ હે ગૌતમ! કદાચ સકંપ છે અને કદાચ નિકંપ છે. એ રીતે બે પ્રદેશી કંધ યાવત્ અનંત પ્રદેશી કંધ સુધી કહેવું ઘણું પરમાણુ પુદગલ યાવત્ બહુ અનંત પ્રદેશી કંધ સદાકાળ સકંપ પણું રહે છે અને સદાકાળ નિષ્કપ પણ રહે છે. ગૌતમ : હે ભગવન ! પરમાણુ પુદ્ગલ કેટલા કાળ સુધી સકપ રહે છે? મહાવીરઃ હે ગતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી સકંપ રહે છે. ગૌતમહે ભગવન ! પરમાણુ પુદ્ગલ કેટલા કાળ સુધી નિષ્કપ રહે છે? મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી નિષ્કપ રહે છે. એ રીતે બે પ્રદેશ સ્કંધથી લગાડી અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. ઘણું પરમાણુ પુદગલ યાવતુ અનંત પ્રદેશી ઢંધ સદાકાળ સકંપ રહે છે અને સદાકાળ નિષ્કપ રહે છે. ગૌતમઃ હે ભગવન ! સકંપ પરમાણુ યુગલના કેટલા કાળના અંતર હોય છે અર્થાત્ સકંપ અવસ્થાને ત્યાગ કરી ફરી પાછા કેટલા કાળ બાદ કંપે છે? મહાવીરઃ હે ગૌતમ! સ્વસ્થાન અપેક્ષાએ અને પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું અંતર હોય છે. * જ્યારે પરમાણુ પરમાણુ અવસ્થામાં રહે છે ત્યારે સ્વસ્થાન કહેવાય છે. જ્યારે પરમાણુ સ્કંધ અવસ્થામાં હોય છે ત્યારે પરસ્થાન કહેવાય છે. જ્યારે પરમાણુ એક સમય સુધી કંપમાન અવસ્થાથી બંધ રહીને ફરી ચાલે છે (કપે છે) ત્યારે સ્વસ્થાને અપેક્ષાએ જઘન્ય એક સમયનું અંતર હોય છે. જ્યારે પરમાણુ યુગલ અસંખ્યાતા કાળ સુધી કોઈ એક જગ્યાએ પિર રહીને ફરી કંપાયમાન થાય છે ત્યારે
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy