SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પટ શ્રી ભગવતી ઉપમા વિગડગતિવાળા 5 જીવ સર્વ અંશથી કરે છે. અવિગ્રહગતિ વાળા જી થોડા અંશેથી કંપે છે. એ રીતે ૨૪ દંડકના જી ડા અંશથી પણું કંપે છે અને સર્વ અંશોથી પ કંપ છે. પુગલનો બડુત્વ ગૌતમહે ભગવન્! પુદગલના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! પુદ્ગલના ચાર ભેટ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યની અપેક્ષા એક પરમગુથી લઈ અનંત પ્રદેશી સ્કંધ સુધી ૧૩ ભેદ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ એક આકાશ પ્રદેશ અવગાહ્યાથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહ્યા સુધી ૧૨ ભેદ હોય છે. કાળની અપેક્ષાએ એક સમયની સ્થિતિથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિ સુધી ૧૨ ભેદ હોય છે. ભાવની અપેક્ષાએ એક ગુણ કાળાથી લઈને અનંતગુણુ કાળા યાવત્ અનંત ગુણ રૂક્ષ સુધી ૨૬૦ ભેદ હોય છે. એ પ્રકારે ચારેને મેળવતાં ૨૯૭ (૧૩+૧૨+૧૨+૨૬૦=૨૯૭) ભેદ થાય છે. ગૌતમ: હે ભગવન ! પરમાણુ પુદ્ગલ અને બે પ્રદેશી કંધમાં દ્રવ્યાર્થરૂપથી કેણુ કેનાથી ઓછાવત્તા (ડા-ઝાઝેરા) છે? મહાવીરઃ હે ગૌતમ! બે પ્રદેશ સ્કંધની અપેક્ષાએ પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. એ રીતે ત્રણ પ્રદેશ સ્કંધની અપેક્ષાએ A વિગ્રહગતિને પ્રાપ્ત અર્થાત જે મરીને વિગ્રહમતિ દ્વારા ઉત્પત્તિ સ્થાનમાં જાય છે તે દડાની ગતિથી સર્વાત્મરૂપથી ઉત્પન્ન થાય છે. એટલે તે સર્વતઃ સકંપ છે. જે જીવ વિગ્રહગતિને પ્રાપ્ત નથી તે અજુગતિવાળા અને અવસ્થિત એ બે પ્રકારના છે. એમાંથી અહીં ફક્ત અવસ્થિત ગ્રહણ કરેલા છે એવો સંભવ છે. તે શરીરમાં રહીને મરણ સમુઘાત કરી ઈલિકાગતિદ્વારા ઉત્પત્તિ ક્ષેત્રને સ્પર્શ કરે છે. એટલે તે કંઈક અંશોથી સકંપ છે અથવા સ્વક્ષેત્રમાં રહેલા છવ હસ્તપાદાદિ અવયવ ચલાવવાથી કંઈક અશોથી સંકપ છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy