SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ લવણ સમુદ્ર ભગવતી શ. ૧૯ ઉ. ૬ ૪૧૩ . સમુદ્ર ઓળંગીને જવા પર બીજે લવણ સમુદ્ર આવે છે, ત્યાં છે. રાજધાનીની લંબાઈ પહેલાઈ ૧૨૦૦૦ જનની છે. ગૌતમઃ હે ભગવન . લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત સુઠિયા) દેવ કયાં રહે છે? મહાવીર હે ગૌતમ જંબુદ્વીપની જગતથી ૧૨૦૦૦ જન આગળ (દર) લવણું સમુદ્રમાં જવા પર ગૌતમીપ આવે છે. તે ૧૨૦૦૦ એજનને લાંબે પહેળે છે. એની પરિધિ ૩૭૪૮ એજન ઝાઝેરી છે. એ દ્વીપ પર સુસ્થિત દેવનું કીડાસ્થાન છે. એની રાજધાની અસંખ્યાતા સમુદ્ર ઓળંગીને જવા પર બીજે લવણસમુદ્ર આવે છે તે પર છે. ગૌતમ? હે ભગવન્! પાતાળ કળશે કયાં છે? મહાવીરઃ હે ગૌતમ! જબુદ્વીપની જગતીથી ૫૦૦૦ એજન આગળ લવણ સમુદ્રમાં જવા પર ચારે દિશામાં ચાર પાતાળ કળશે છે. એનાં નામ આ પ્રમાણે છે. વલયમુખ, કેતુમુખ, ધૂપ, અશ્વ ઈશ્વર. તે પાતાળ કળશે એક લાખ જન જમીનમાં ઊંડા છે. વચમાં એક લાખ જન પહોળા છે. અને ૧૦૦૦ જનની મેટી (જાડી) ઠીકરી છે. કાળ, મહાકાળ, વેલભ અને પ્રભંજન એ ચાર દેવતા એ ચાર પાતાળ કળશોના માલિક છે. એ ચાર પાતાળ કળશની વચ્ચે વચ્ચે (ચારે કળશેના વચ્ચેના અંતરમાં) ૭૮૮૪ નાના કળશ છે. તે દરેક એક હજાર એજનના ઊંડા છે. એક હજાર વજનના વચમાં પહોળા છે. એક એજનના નીચે પહોળા છે. એનું મુખ એક જનનું પહેલું છે, દસ જનની જાડી ઠીકરી છે. વામય છે. એક એક કળશની વચમાં ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૩ કળશેની નવ નવ હાર છે. એ રીતે ચારે કળશેની વચમાં નવ નવ હાર છે. એ સર્વ મળી ૭૮૮૪ નાના કળશ છે અને ૪ કળશ મોટા છે. કુલ ૭૮૮૮ કળશ છે. એ કળશોના એક એક દેવતા માલિક છે. એની એક એક પલેપમની સ્થિતિ છે. એ સર્વ કળશેના ત્રણ ભાગ છે. ઉપર, નીચે અને વચ્ચેને ભાગ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy