SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શના ભગવતી શ–૧૮. ઉ–૧૦. મહાવીરઃ હા. ગૌતમ! અગ્નિશિખામાંથી નીકળી શકે છે. ગૌતમઃ હે ભગવન ! તે અગ્નિશિખામાંથી નીકળે છે તે શું દાઝે છે ? મહાવીરઃ હે ગૌતમ! તે બળતા નથી. ગૌતમ: હે ભગવન્ ! શું ભવિતાત્મા અણગાર પુષ્કર સંવર્ત મેધ વચમાંથી નીકળી શકે છે ? મહાવીર: હા. ગૌતમ! તે નીકળી શકે છે. ગૌતમ ઃ હે ભગવન્! પુષ્કર સંવત મેઘ વચમાંથી તે નીકળે છે ત્યારે તે ભીંજાઈ જાય છે ? મહાવીરઃ હે ગૌતમ! તે ભીંજાતા નથી? ગૌતમ ઃ હે ભગવન્ ! ભાવિતાત્મા અણગાર ગંગા-સિંધુ મહાન નદીઓના ઊલટા પ્રવાહમાં થઈને નીકળી શકે છે ? મહાવીરઃ હા. ગૌતમ! તે નીકળી શકે છે. ગૌતમ હે ભગવન્ ! ગંગા સિંધુ મહાનદીના ઊલ્ટા પ્રવાહમાંથી નીકળતી વખતે તે ખલિત થાય છે? મહાવીરઃ હે ગૌતમ! તે ખલિત નથી થતા. તમઃ હે ભગવન ! ભવિતાત્મા અણુગાર પાણીના ભંવરમાં કે ઉદકબિંદુમાં પ્રવેશ કરી શકે છે ? મહાવીરઃ હે ગૌતમ! તે પ્રવેશ કરી શકે છે. ગૌતમ: હે ભગવન ! ભાવિતાત્મા અણુગાર ઉદકાવર્ત અને ઉદકબિંદુમાં પ્રવેશ કરતી વખતે પાણીના શસ્ત્રને પ્રાપ્ત થાય છે કે ભીંજાય છે ? ' મહાવીર : હે ગૌતમ! નહિ ત્યાં શાનું સંક્રમણ નથી હોતું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy