SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ્મરાશિ ભગવતા શ–૧૮. ઉ. ૪ ૩૭૭ મહાવીર : હે ગૌતમ! નરયિક જઘન્યપદમાં કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટ પદમાં જ છે, મધ્યમ પદમાં કદાચ કૃતયુગ્મ છે, કદાચ વ્યાજ છે, કદાચ દ્વાપર છે, કદાચ કલેજ છે. એ પ્રકારે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. ગૌતમ: હે ભગવન ! વનસ્પતિકાયના જીવ કૃતયુમ, વ્યાજ, દ્વાપર કે કલ્યજ છે? મહાવીરઃ હે ગૌતમ ! વનસ્પતિકાયના જીવ જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ @ અપદ છે, (અર્થાત્ એમાં જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદને સંભવ નથી. મધ્યમ પદમાં કદાચ કૃતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપરયુગમ, કદાચ કલ્યાજ છે. ગૌતમઃ હે ભગવન્ ! શું બેઈદ્રિય જીવ કૃતયુગ્મ છે કે જાવ કજ છે? મહાવીર ઃ હે ગૌતમ! બેઈદ્રિય જીવ જઘન્ય પદમાં કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટપદમાં દ્વાપર યુગ્મ છે. મધ્યમ પદમાં કદાચ કૃતયુગ્મ, કદાચ ત્રાજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યાજ છે. જે પ્રકારે બેઈદ્રિયનું કહ્યું એ રીતે તેઈદ્રિય અને ચોરેંદ્રિયન તથા ચાર સ્થાવર (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય)નું કહી દેવું. તિર્યંચ, પંચેંદ્રિય, મનુષ્ય, વાણુવ્યંતર, તિષી અને વૈમાનિક, નરયિકની રીતે કહી દેવું. સિદ્ધ છવ વનસ્પતિકાયની રીતે કહી દેવું જોઈએ. ] @ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ નિશ્ચિત સંખ્યારૂપ છે. કોઈ સમય નૈરયિક આદિમાં એ પદ ઘટિત હેઈ શકે છે. પરંતુ વનસ્પતિના વિષયમાં ઘટિત નથી થઈ શકતું, કેમકે વનસ્પતિના જીવ અનંત છે. તે પણ જેટલા જીવ મોક્ષ જાય છે એટલા જીવ એમાંથી ઘટે છે. એટલે તે રાશિ અનિયત સ્વરૂપવાળી છે. L]વનસ્પતિકાયની રીતે સિદ્ધજીમાં પૂણુ જધન્ય પદ અને ઉત્કૃષ્ટ પદ સંભવ નથી હોતો. કેમકે સિદ્ધ જીવોની સંખ્યા વધતી જાય છે એ માટે એનાં પરિણામ અનિયત છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy