SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલી અને સિદ્ધ ભગવતી શ. ૧૪ ઉં. ૧૦ ૩૩૯ ગૌતમઃ હે ભગવન! કેવળજ્ઞાની, આધવધિક (નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીને, પરમાવધિ જ્ઞાનીને, કેવળજ્ઞાનીને, અને સિદ્ધિને જાણે અને દેખે છે ? મહાવીર : હા. ગૌતમ! જાણે અને દેખે છે. એ રીતે સિદ્ધ ભગવાન પણ એ સર્વને જાણે અને દેખે છે. ગૌતમ. હે ભગવન ! કેવળજ્ઞાની બેલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે? મહાવીરઃ હા. ગૌતમ! બેલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે. ગૌતમ ઃ હે ભગવન ! કેવળજ્ઞાનીની રીતે સિદ્ધ ભગવાન પણ બેલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે? મહાવીરઃ હે ગૌતમ ! નહિ. સિદ્ધ ભગવાન બેલતા નથી. અને પ્રશ્નના ઉત્તર આપતા નથી. ગૌતમ હે ભગવન્! એનું શું કારણ? મહાવીર હે ગૌતમ ! કેવળજ્ઞાની ઉથાન (ઊભા રહેવાનું), કર્મ (ગમનાદિ ક્રિયા કરવાનું), બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ સહિત છે. અને સિદ્ધ ભગવાન ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરામરહિત છે એટલે તે કેવળજ્ઞાનીની રીતે બેલતા નથી અને પ્રશ્નના ઉત્તર પણ દેતા નથી. - ગૌતમ હે ભગવન્! કેવળજ્ઞાની પિતાની આંખ ખેલે છે અને બંધ કરે છે, શરીરને સંકેચે છે અને પ્રસારે છે, ઊભા રહે છે અને બેસે છે, શય્યા (વસતી) અને નૈષધિકી (ડા સમય માટે વસતિ) કિયા કરે છે? મહાવીર : હા. ગૌતમ! એ સર્વ ક્રિયાઓ કરે છે. ૌતમ? હે ભગવન ! કેવળજ્ઞાની રત્નપ્રભા પૃથ્વીને “આ રત્નપ્રભા પૃથ્વી છે” એ રીતે જાણે દેખે છે? મહાવીરઃ હા ગૌતમ! જાણે દેખે છે. એ રીતે સિદ્ધ ભગવાન માટે કહેવું. એ રીતે શર્કરા પૃથ્વી યાવતું તમતમા પ્રભા પૃથ્વી, બાર દેવ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy