SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ભરણુ ભગવતી શ. ૧૩. ઉં. ૭. ૩૧૭ ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્ય આવીચિક મરણના કેટલા ભેદ છે? મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્ય આવીચિક મરણના ચાર ભેદ છે. (૧) નૈરયિક દ્રવ્ય આવાચિક મરણ. / (૨) તિર્યચનિક દ્રવ્ય આવીચિક માણ. (૩) મનુષ્ય-દ્રવ્ય આવચિક મરણ (૪) દેવ દ્રવ્ય આવીચિક મરણ. એ રીતે ક્ષેત્ર, કાળ ભવ અને ભાવના ચાર ચાર ભેદ કહેવા. ગૌતમ: હે ભગવન ! અવધિમરણના કેટલા ભેદ છે? મહાવીર : હે ગૌતમ ! અવધિમરણના પાંચ ભેદ છે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પચેના ચારગતિની અપેક્ષાએથી ચાર ચાર ભેદ કહેવા. | L] ૧. આવી ચિક મરણ : આયુષ્ય કર્મના ભોગવાયેલા પુદ્ગલ પ્રતિ સમય ક્ષય હોય છે એને આવીચિક મરણ કહે છે. જે રીતે પ્રતિ સમય આયુ ક્ષીણ થઈ રહે છે તે આ વીચિક મરણ છે. ૨. અવધિ મરણ : (મર્યાદ સહિત મરણ) નરકાદિ ભવના હેતુભૂત વર્તમાન આયુષ્ય કર્મના પુદ્ગલોને ભોગવીને જીવ મરણ પામે છે અને ફરી એ આયુષ્ય કર્મના પુદ્ગલોને આગામી ભવમાં ગ્રહણ કરી મરણ પ્રાપ્ત કરે એને અવધિમરણ કહે છે. ૩. આત્યંતિક મરણઃ એક વાર ભોગવી છોડેલ આય કર્મના પુદ્ગલેને એ જીવ બીજી વાર ન ભોગવે, તે એ પુદગલોની અપેક્ષાએ જીવનું આત્યંતિક મરણ કહેવાય છે. ૪. બાલમરણ વ્રતરહિત (અસંયતિ) પ્રાણીઓના મૃત્યુને બાલમરણ કહે છે. પ. પંડિતમરણ: વિરતિ પૂર્વકના મૃત્યુને પંડિતમરણ કહે છે. D નારક છવરૂપમાં રહેતા નેરિયાના જે દ્રવ્યોનો પૂર્વભવમાં નરકાયુ રૂપમાં ગ્રહણ કર્યા છે અને ઉદય આવવા પર જે પ્રતિ સમય મરે છે અર્થાત જેને જીવ છોડી દે છે તે નૈયિક દ્રવ્યાપીચિક મરણું છે. આ પ્રકારે તિર્યંચ આદિ દ્રવ્ય આવીચિક ભરણું પણ જાણવું. આ પ્રકારે નરકક્ષેત્રમાં રહેલા જીવ જે. નરકાયુનાં દ્રવ્યોનો નિરંતર પ્રતિ સમરથ છોડે છે એને નરકક્ષેત્ર આવચિક મરણ કહે છે. આ પ્રકારે કાળ, ભવ અને ભાવનું સમજવું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy