SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધ ભગવતી શ૧૨. ઉ–૧. ২২৩ તથા ડાભના સંથારા સહિત મારે એકલાએ–બીજાની સહાય સિવાયપૌષધને સ્વીકાર કરી વિહરવું શ્રેય છે. એમ વિચાર કરી, તે પાછો આવ્યું અને પિતાની પત્નીને પૂછી, પૌષધશાળામાં જઈ, તેને પુંજીને તથા મળ-મૂત્રાદિની જગ્યા જોઈ–તપાસી, ડાભને સંથારે પાથરી, તેના ઉપર બેઠા; અને પૌષધ ગ્રહણ કરી, બ્રહ્મચર્ય પૂર્વક પાક્ષિક પષધનું પાલન કરવા લાગ્યા. પિલા શ્રમણોપાસકેએ તે પિતપોતાને ઘેર જઈ, પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવ્યાં અને એકબીજાને બોલાવીને કહ્યું કે, આપણે બધાએ તે પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવેલ છે; પણ હજુ શંખશ્રાવક આવ્યા નહિ. માટે આપણે તેમને બોલાવવા મેકલીએ. પછી તેઓએ. “પુષ્કલી” નામના શ્રાવકને શંખની પાસે મેકલ્ય. . પુષ્કલીએ ઉત્પલાને જઈને શંખ વિશે પૂછ્યું અને પૌષધશાળામાં જઈ શંખને બધી વાત કરી. ત્યારે તેણે કહ્યું કે, પુષ્કળ અન્નપાનાદિ આહારને આસ્વાદ લેતાં પૌષધનું પાલન કરવું મને ન લાગ્યું. મને તે આ રીતે પૌષધશાળામાં પૌષધયુક્ત થઈને વિહરવું યોગ્ય લાગે છે. પરંતુ તમે બધા તે પહેલાં નક્કી કર્યા પ્રમાણે અન્નપાનાદિને આસ્વાદ લેતા વિહરે. પછી પેલા બધા શ્રમણોપાસકે તે વિપુલ અન્નાનાદિને આસ્વાદ લેતા વિહરવા લાગ્યા. ત્યાર બાદ મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં શંખને એ વિચાર આવ્યું કે, આવતી કાલે સૂર્ય ઊગવાને સમયે મહાવીર ભગવાનને વંદનાદિ કરીને મારા આ પૌષધવ્રતને પૂરું કરું એમ વિચારી તે યથા ઉચિત સમયે પૌષધશાળામાંથી બહાર નીકળી, શુદ્ધ, બહાર જવા યોગ્ય, તથા મંગળરૂપ વસ્ત્રો, ઉત્તમ રીતે પહેરી, પગે ચાલતા ભગવાન મહાવીરને વંદનાદિ કરવા ગયા પેલા શ્રમણે પાસ પણ ભેગા થઈ ભગવાનને વંદનાદિ કરવા આવ્યા. પછી મહાવીર ભગવાને તેમને ધર્મકથા કહી. પછી તે બધા
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy