SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ - શ્રી ભગવતી ઉપમા ગૌતમ? હે ભગવન્! પહેલાં વિમય ઉપજાવીને પછી જાય છે કે પહેલાં જાય છે અને પછી વિસ્મય ઉપજાવે છે? મહાવીરઃ હે ગૌતમ! પહેલાં વિરમય ઉપજાવીને પછી જાય છે, પરંતુ પહેલાં જઈ, પછી વિસ્મય ઉપજાવે એવી વાત નથી. ગૌતમ: હે ભગવન! મહા શક્તિના દેવતા અલ્પ શક્તિના દેવતાની વચ્ચે થઈને જાય છે? મહાવીરઃ હે ગૌતમ! જાય છે. ગૌતમઃ હે ભગવન્! વિરમય ઉપજાવીને જાય છે કે વિસ્મય ઉપજાવ્યા વિના જાય છે? મહાવીરઃ હે ગૌતમ ! વિસ્મય ઉપજાવીને પણ જાય છે. અને વિમય ઉપજાવ્યા વિના પણ જાય છે. - ગૌતમહે ભગવન! વિરમય ઉજાગીને જતા હોય તે પહેલાં વિસ્મય ઉપજાવીને પછી જાય છે કે પહેલાં જઈને પછી વિસ્મય ઉપજાવે છે. મહાવીરઃ હે ગૌતમ! જવાવાળા દેવતાની જેવી ઇચ્છા હોય એ રીતે જાય છે. પહેલાં વિમય ઉપજાવીને પછી જાપ છે અથવા પહેલાં જઈને પછી વિસ્મય ઉપજાવે છે) એ રીતે ૧૩ દંડક દે તા એ ૧૪ અલાવા થયા. ગૌતમઃ હે ભગવન્અલ્પ શકિતના દેવતા મહાશક્તિના દેવતા વચ્ચે થઈને જાય છે ? મહાવીરઃ હે ગૌતમ! જઈ શકતા નથી. યાવત ઉપર મુજબ કહે. સમુચ્ચય દેવતા અને ૧૩ દંડકના દેવતા, એ ચૌદમાં ૨-૩ અલાવા (૧) અલ્પ ઋદ્ધિકની સાથે મહા દ્વિક, (૨) સરખી શક્તિવાળા સાથે સરખી શક્તિવાળા; (૩) મહાશકિતવાળા સાથે અલ્પ શકિતવાળા) કરવાથી ૨ (૧૪૩ઃ૪ર) અલાવા થયા. ૪૨ અલાવા દેતાના દેવતાની સાથે
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy