SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - શ્રી ભગવતી ઉપકમ (૩) ઈંદ્રિયદ્વારઃ સઈન્દ્રિય અને પંચેન્દ્રિયમાં કે જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. એકેન્દ્રિયમાં બે અજ્ઞાનની નિયમા, ત્રણ વિકસેંદ્રિયમાં ૨ જ્ઞાન, રે અજ્ઞાનની નિયમા, અનિદ્રિયમાં કેવળ જ્ઞાનની નિયમા. () કાયાદ્વારઃ સકાય અને ત્રસકાયકમાં પાંચ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. પાંચ સ્થાવર- ૨ અજ્ઞાનની નિયમા. અકાયિકમાં કેવળજ્ઞાનની નિયમા.૫ (૫) સૂક્ષ્મ બાદરદ્વાર ઃ સૂક્રમમાં બે અજ્ઞાનની નિયમા. બાદરમાં પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના, નેસૂમ બાદરમાં કેવળજ્ઞાનની નિયમા. ૧. ઈન્દ્રિયદ્વારને વિષે સેન્દ્રિય એટલે ઇન્દ્રિયના ઉપગવાળા. તે જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રકારના છે. તેમાં જ્ઞાનીને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. એટલે બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે; પણ તેઓને કેવલજ્ઞાન હોતું નથી. કેમકે તે અતીન્દ્રિયજ્ઞાન છે. અહીં બે, ત્રણે કે ચાર જ્ઞાન કહેલાં છે તે લબ્ધિની અપેક્ષાએ જાણવાં. ઉપયોગની અપેક્ષાએ સર્વને એક જ જ્ઞાન હોય છે. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ હેય છે એટલે કવચિત બે કે ત્રણ અજ્ઞાન હોય છે. ૨. એકેન્દ્રિય છે મિથાદષ્ટિ હોવાથી અજ્ઞાની છે અને તે બે અજ્ઞાનવાળા છે. બેઈન્દ્રિયાદિક જીવોને બે જ્ઞાન હોય છે. કેમકે તેને અપર્યાપ્ત અવસ્થામાં સારવાદન ગુણસ્થાનકનો સંભવ છે. તે સિવાય બીજાને બે અજ્ઞાન હોય છે. ૩. અનિનિય એટલે ઈન્દ્રિયના ઉપયોગ રહિત કેવલજ્ઞાની. તેઓને સિદ્ધની પેઠે એક કેવલજ્ઞાન હોય છે. - જ. કાય એટલે ઔદારિકાદિ શરીર અથવા પૃથ્વી આદિ છે કાય. તે વડે સહિત તે સાયિક. તેઓ કેવલી પણ હોય, તેથી સકાયિક સદ્દષ્ટિઓને પાંચ શાન અને મિયાદષ્ટિઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. પ. જેઓને પૂર્વે કહેલ કાય એટલે ઔદારિકાદિ શરીર નથી તે અકાયિક એટલે સિદ્ધ કહેવાય છે. માટે તેમાં કેવળજ્ઞાનની જ નિયમ હેય છે. ક. સર્ભદ્વારને વિષે સુક્ષ્મ જીવો પૃથ્વીકાયિકની પેઠે મિથાદષ્ટિ હેવાથી તેઓને બે અજ્ઞાન હોય છે. * ૭. સકાંયિક જીવની પેઠે બાદર જ કેવલજ્ઞાની પણ હોય છે. માટે તેઓને ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy