SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી ભગવતી ઉપક્રમ ચારે કને પણ આચ્છાદિને ઊંચે પણ બ્રહ્મલેક કલ્પમાં રિટ વિમાનના પ્રસ્તર સુધી તે પહોંચે છે. તેને આકાર નીચેની બાજુ કેડિયાના નીચેના ભાગ જેવો છે, અને ઉપર કૂકડાના પાંજરા જેવું છે. કેઈ દેવ આ જંબુદ્વિીપને ત્રણ ચપટી વગાડતાં ૨૧ વાર ફરી આવે, તે દેવ પણે છ મહિના ચાલે છતાં તેના સંખેય વિસ્તૃત ભાગને પહોંચે, પણ અસંખ્યય વિસ્તૃત ભાગને તે ન પહોંચે તે તમારકામાં ગામ, ઘર કે સંનિવેશાદિ કંઈ નથી. માત્ર તેમાં મેઘ પુદગલે એકઠા થવાથી મોટા મેઘ ઉત્પન્ન થાય છે અને વરસે છે. પણ તે દેવ અસુર અથવા નાગને કારણે થાય છે. તેમાં જે સ્થૂલ ગર્જના અને વીજળી છે, તે દેવ-અસુર અથવા નાગને કારણે જ છે. આ તમકામાં સ્થૂલ પૃથ્વી અને અગ્નિની હયાતી નથી હોતી, પણ જે બાદર (સ્થૂલ) પૃથ્વી અને બાદર અગ્નિ વિગ્રહગતિમાં વર્તતા હોય છે તેઓ જ ત્યાં હેઈ શકે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા તમસ્કાયમાં નથી. પણ તેની પડખે છે. તેમની પ્રભા નમસ્કાયમાં જાય છે ખરી પણ ઊલટી પોતે અંધારારૂપ થઈ જાય છે. તે તમસ્કાયને વિશે એટલે કાળે, ગંભીર, રૂવાટાં ઊભાં કરનાર તથા ભયંકર છે કે, તેને ઈને જ કેટલાક દેવે પણ ક્ષોભ પામે, અને કદાચ કે દેવ તેમાં પ્રવેશ કરે તે પણ તે શરીરની ત્વરાથી અને મનની ત્વરાથી તેને જલદી ઉલ્લંધી જાય છે. તે તમસ્કાયનાં તેર નામ છે. તમ, તમસ્કાય, અંધકાર, મહીંધકાર, લેકાંધકાર, લકતમિસ, દેવાંધકાર, દેવતમિસ, દેવારણ્ય, દેવભૂંડ, દેવ પરિધ, દેવપ્રતિક્ષેભ અને અરણદક સમુદ્ર - ગૌતમઃ ભગવન્! તમસ્કાય પૃથ્વીને પરિણામ છે, પાણીને પરિગ છે, જીવને પરિણામ છે? કે પુદ્ગલેને પરિણામ છે? કે આ બે ભાગેનું કારણ, તેને કેડિયા જેવો વધતી વિસ્તૃતતાવાળે આકાર છે. - એટલે કે અહીં સ્થૂલ વીજળી શબ્દથી તેજસકાયિક ન સમજવા. કારણ કે અહીં તેઓને નિષેધ કરવાનું છે. પણ દેવના પ્રભાવથી ઉત્પન્ન થયેલા ભાસ્વર પુલને અહીં સ્થૂલ તેજરૂપે સમજવાના છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy