SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ૭. પ્રાદુષ્કરણ દોષ पाओकरणं दुविहं पागडकरणं पगासकरणं च । पागड संकामण कुड्डदारपाए य छिन्ने व ।। ३५ ।। रयणपईवे जोई न कप्पइ पगासणा सुविहियाणं । સદ્ધિ અપરિપુર્જા ગઝvi ll રૂદ II (પિ.નિ.૨૯૮-૨૯૯) સાધુને વહોરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણ દોષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરવો. પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા. પ્રકાશ કરવો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળું આવે તેવું કરવું અથવા ભીંત તોડી નાખીને અજવાળું કરવું તથા રત્ન, દીવો, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળું કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી. આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને કહ્યું નહિ. પરંતુ જો ગૃહસ્થ પોતાના માટે પ્રકટ કરી હોય કે પ્રકાશ કર્યો હોય તો સાધુને તે ભિક્ષા કલ્પી શકે. તેમાં જો દીવા કે લાઇટનો પ્રકાશ શરીર ઉપર પડતો હોય તેની ઉજેહી લાગતી હોય તો આહાર લેવો કલ્પ નહિ. કેમકે તેજસ્કાયનો સ્પર્શ થવાથી તેની વિરાધના થાય. પ્રાદુષ્કરણદોષવાળી ગોચરી કદાચ અજાણ્ય આવી ગઈ હોય અને પછી ખબર પડે તે વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તો પણ તે આહાર પરઠવીને
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy