SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ વિભાગ દેશિકના બાર ભેદો ઉદિષ્ટ-પોતાને માટે જ બનાવેલા આહારમાંથી કોઈપણ ભિક્ષુકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે. કૃત-પોતાને માટે બનાવેલું, તેમાંથી વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છે કાયાદિનો આરંભ કરી, ભાતનો કરબો વગેરે કરવારૂપ સંસ્કાર કરી રાખે તે. કર્મ-વિવાદાદિ જમણમાં વધેલ લાડવા, પકવાન્ન વગેરેના ભૂકા આદિને કોઈપણ ભિક્ષુકને આપવા માટે ગરમ કરેલા ઘી, ગોળની અંદર નાંખી ફરીથી લાડવા વગેરે બનાવવામાં આવે અથવા તો બીજા કોઈ અચિત્ત આહારાદિને કોઈપણ ભિક્ષુકને આપવા માટે સચિત્ત પાણી, કાચું મીઠું આદિ નાખી હિંગ વગેરેનો વઘાર કરી સંસ્કારિત કરવામાં આવે તે. ઉદિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદો. 2 ઉદ્દેશ-કોઈપણ ભિક્ષુકને આપવા માટે કલ્પેલું. ૨ સમુદેશ-પાંખડીઓને આપવા માટે કલ્પેલું. ૩ આદેશ-શ્રમણોને આપવા માટે કલ્પેલું. ૪ સમાદેશ-નિગ્રંથોને આપવા માટે કલ્પેલું. આ પ્રમાણે ૩ દ ૪ ઇં બાર ભેદો થયા. બાર ભેદોમાં અવાંતર ભેદો ઉદ્દિષ્ટઉદ્દેશિક-છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદું કાઢ્યું હોય તે. અછિન્ન જુદું કાઢ્યું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચરોને આપવું એવો ઉદ્દેશ રાખેલો હોય. છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો થાય. કૃતઉદ્દેશિક-છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો. કર્મઉદેશિક-ઉપર મુજબ આઠ ભેદો. દ્રવ્યઅછિન્ન-વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે તે. ક્ષેત્રઅછિન્ન-ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. કાલઅછિન્ન-જે દિવસે વધ્યું હોય તે જ દિવસે કેગમેતે દિવસે આપવાનું નક્કી કરે તે.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy