SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ સમાધાન कामं सयं न कुब्वइ जाणंतो पुण तहावि तग्गाही । વરુ તપ્પા શિપમાળો ૩ વારે રડા (પિ. નિ. ૧૧૧) તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાદિ નથી કરતો, બીજા પાસે નથી કરાવતો તો પણ “આ આહારાદિ સાધુ માટે બનાવેલો છે.” એમ જાણવા છતાં જો તે આધાકર્મી આહાર ગ્રહણ કરે છે, તો આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઓને એમ થાય કે “આધાકર્મી આહારાદિ આપવામાં અને લેવામાં કોઈ જાતનો દોષ નથી, જો દોષ હોય તો આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે ?” આમ થવાથી આધાકર્મી આહારમાં લાંબા ટાઇમ સુધી છે જીવનિકાયનો ઘાત ચાલુ રહે છે. જે સાધુઓ આધાકર્મી આહારનો નિષેધ કરે કે “સાધુને આધાકર્મી આહાર કહ્યું નહિ.' અને આધાકર્મી આહાર ગ્રહણ ન કરે તો ઉપર મુજબનો દોષ તે સાધુઓને લાગતો નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જેઓ તે આહાર વાપરે તો ચોક્કસ તેઓને અનુમોદનાનો દોષ લાગે છે. “અપ્રતિષિદ્ધમનુસ્મૃતિમ્' નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકર્મી આહાર વાપરવાનો ચસકો લાગી જાય, તો તેવો આહાર ન મળે તો જાતે પણ તૈયાર કરવા લાગી જાય એવું પણ બને, માટે સાધુએ આધાકર્મી આહારાદિ વાપરવો ન જોઈએ. आहाकम्मं भुंजइ न पडिक्कमए य तस्स ठाणस्स । મેવ ડડુ વોડો સુવિહુ ને વયવો પારદા (પિં. નિ. ૨૧૭) જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તો તે સાધુ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંજક હોવાથી તે સાધુનું લોચ કરવો-કરાવવો, વિહાર કરવો વગેરે બધું નિષ્ફળ-નિરર્થક છે. જેમ કબૂતર પોતાનાં પીંછાં તોડે છે અને બધે ફરે છે. પરંતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લોચ, વિહાર વગેરે ધર્મ માટે થતા નથી. ઇતિ પ્રથમ આધાકર્મી દોષ નિરૂપણ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy