SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આધાકર્મ દોષ ૪૯ દ્વાર છઠું આધાકર્મી આહાર આપવામાં કયા દોષો છે ? संथरणंभि असद्धं, दोण्हं वि गेण्हंतदेंतयाणऽहियं । આ વિદ્યુતે, તે ચેવ દિઈ સંથર મારા (પિં. વિ. ૨૧) નિર્વાહ થતો હોય તે વખતે આધાકર્મી-અશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પરંતુ નિર્વાહ થતો ન હોય (એટલે ગ્લાનાદિ કારણે) તો આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે. આધાકર્મી આહાર ચારિત્રનો નાશ કરનારો છે, એથી ગૃહસ્થો માટે ઉત્સર્ગથી સાધુને આધાકર્મી આહારનું દાન કરવું યોગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્ક ઉચિત છે અને લાભકારી છે. જેમ તાવથી પીડાતા દર્દીને ઘેબરાદિ આપનાર વૈદ્ય બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રોગમાં ઘેબરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય છે, જ્યારે કારણે આપવાથી બન્નેને લાભ થાય છે. હાર સાતમું આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું ? अणुचिय देसं दव्वं कुलमप्पं आयरो य तो पुच्छा । વૈદુવિ નત્સ્યિ પુછી રવિણ સમાવે વિ પારરા (પિ. નિ. ૨૦૪) આધાકર્મી આહારગ્રહણ થઈ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજું અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દૃષ્ટાંત. શાલી નામના ગામમાં એક ગ્રામણી નામનો વણિક રહેતો હતો. તેને પત્ની પણ ગ્રામણી નામની હતી. એક વાર વણિક દુકાને ગયો હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણી સાધુને શાલિજાતના ભાત વહોરાવવા લાવી. ભાત આધાકર્મી છે કે શુદ્ધ ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે “હે શ્રાવિકા ! આ ચોખા ક્યાંના છે ?' તે સ્ત્રીએ કહ્યું કે “મને ખબર નથી, મારા પતિ જાણે, દુકાને જઈને પૂછી જુઓ.” આથી સાધુએ દુકાને જઈને પૂછ્યું.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy