SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ દ્વાર ચોથું આધાકર્મ કોના જેવું છે ? वंतुञ्चारसुरागोमांससममिमंति तेण तज्जुत्तं । પત્ત પિ તિરુખે વપૂરૂ પુત્રં રિસાદું | ૨૨ || (પિ. વિ. ૧૭) આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. (માટે આધાકર્મી આહાર વાપરવો ન જોઈએ, એટલું જ નહિ પણ) આધાકર્મી આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલો હોય તે પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઈને કોરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લેવો કહ્યું. આ સંબંધી નીચે મુજબ દષ્ટાંત સમજાવે છે. દષ્ટાંત વક્રપુર નામના નગરમાં ઉગ્રતેજ નામનો એક સૈનિક રહેતો હતો. તેને રૂક્મિણી નામની બીજીવારની પત્ની હતી. એકવાર નજીકના ગામેથી ઉગ્રતેજના મોટાભાઈ સોદાસ આવ્યા. ઉગ્રતેજે બજારમાંથી માંસ લાવીને, રાંધવા માટે રૂક્મિણીને આપ્યું અને પોતે પોતાના કામ ઉપર ગયો. આ બાજુ રૂક્મિણી કામમાં હતી ત્યાં એક બિલાડો આવ્યો, તે કેટલુંક માંસ ખાઈ ગયો. રૂક્મિણી માંસ લેવા ગઈ તો થોડુંક જ માંસ રહેલું જોયું અને આ બાજુ પોતાના પતિ અને જેઠને જમવા આવવાનો વખત પણ થઈ જવા આવ્યો હતો. એટલે તે વિચારમાં પડી કે “બજારમાંથી બીજું માંસ વેચાતું લાવીને રાંધવામાં ઘણો સમય થઈ જાય. હવે શું કરવું ? જો ભોજન ટાઈમસર તૈયાર નહિ હોય તો માર ખાવો પડશે.” ઘરના ઓટલાના એક ખૂણામાં એક કાર્પટિક આવેલો હતો. તેને ઝાડા થયેલા તેમાં માંસના ટુકડા પડેલા હતા, તે રૂક્મિણીના જોવામાં આવતા તે ટુકડા લઈ લીધા અને પાણીથી સાફ કરી વધેલા માંસ ભેગો તેનો સંસ્કાર કરી માંસ તૈયાર ૧ કોઈ એમ કહે છે કે “કોઈ કૂતરાએ મરેલા કાપેટિકનું થોડું માંસ ખાધેલું તે એના ઘરના આંગણામાં ઉલટી કરેલી તેમાં માંસના ટુકડા પડેલા તે લઈ લીધા.” ૨ કોઈ કહે છે કે ભાણામાં ખરાબ ગંધ આવતા અને માંસનો વર્ણ જુદો જોઈને ઉગ્રતેજને વહેમ પડ્યો, એટલે ક્રોધથી તેણે રૂક્મિણીને ધમકાવી.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy