SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રાસએષણા ૧૯૭ સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દોષનો સમૂહ. જેમ માછલું કોઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો, કોઈ દોષમાં સપડાવું નહિ. સોળ ઉત્પના, સોળ ઉત્પાદનોના અને દશ એકગ્રાના એમ ૪ર દોષોથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે “હે જીવ ! તું કોઈ દોષમાં સપડાયો નહિ અને બેતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરતા મૂર્છાવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. અર્થાત્ આહાર વાપરતાં રાગદ્વેષ કરીશ નહિ. અપ્રશસ્ત ભાવગ્રાસએષણા संयोजना पमाणे इंगाले घूम कारणे पढमा । વસદિદિરન્તરે વા રસદેવં વ્યસંગો II૧૦પા (પિ. વિ. ૯૪) ૧ સંયોજના-વાપરવાનાં બે દ્રવ્યો સ્વાદ માટે ભેગાં કરવાં. ૨ પ્રમાણ-જરૂર કરતાં વધારે આહાર વાપરવો. ૩ અંગાર-વાપરતાં આહારના વખાણ કરવાં. ૪ ધૂમ્ર-વાપરતાં આહારની નિંદા કરવી. ૫ કારણ-આહાર વાપરવાના છ કારણ સિવાય આહાર વાપરવો.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy