SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂર્ણ-યોગ-મૂલકર્મપિંડ દોષ ૧૪૯ આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસથી ચંદ્રગુપ્તના ભેગા અદશ્ય રીતે જમવા લાગ્યા. ચંદ્રગુપ્તના ભાગમાં થોડો આહાર આવતો શરમથી વધારે માગી શકતો નથી. એટલે દિવસે દિવસે ચંદ્રગુપ્ત સુકાવા લાગ્યો. એક દિવસે ચાણાક્ય પૂછ્યું કે “રાજન ! તમે દિવસે દિવસે દુબળા કેમ થતા જાવ છો ? શું શરીરમાં કોઈ રોગ થયો છે ?' ચંદ્રગુપ્ત કહ્યું કે “આહાર પૂરતો નહિ થવાથી ભૂખ્યો રહું છું.” ચાણાક્ય વિચાર કર્યો કે “રોજ રસોઈઓ આટલો બધો આહાર પીરસે છે, છતાં રાજા આમ કેમ કહે છે ? નક્કી કોઈ અંજનસિદ્ધ આવીને રાજાની સાથે ભોજન કરી જતો હોવો જોઈએ. તેને પકડવા માટે બીજે દિવસે ભોજનખંડમાં અતિસૂક્ષ્મ અને કોમળ ઇંટનો ભૂકો પથરાવી દીધો, જેથી કોઈ અદૃશ્ય રીતે આવે તો ખબર પડે. રાજા ભોજન કરવા આવ્યા કે તુરત ભૂકા ઉપર મંત્રીએ પગલાં દેખ્યાં તેથી સમજી ગયો કે “નક્કી કોઈ બે અંજનસિદ્ધ પુરુષો દાખલ થઈ ગયા છે.” મંત્રીએ તુરત બધા દરવાજા બંધ કરાવી દેવરાવ્યા અને મધ્ય ખંડમાં ખૂબ ધુમાડો કરાવ્યો. ધુમાડો આંખમાં જતાં આંખમાંથી પાણી નીકળવા લાગ્યું અને પાણી સાથે અંજન પણ નીકળી ગયું એટલે તે બન્ને સાધુ પ્રત્યક્ષ થઈ ગયા. સાધુને જોતાં ચંદ્રગુપ્ત એકદમ જુગુપ્સા કરવા લાગ્યો કે “અહો ! આ સાધુડાએ મને વટલાવ્યો. ચાણાક્ય જૈનધર્મી હતો અને બુદ્ધિશાળી હતો એટલે શાસનની અપભ્રાજના ન થાય એટલા માટે પ્રશંસા કરતા રાજાને કહેવા લાગ્યો કે “રાજનું ! તમે ભાગ્યશાળી છો, કે જે બાલબ્રહ્મચારીએ તમારી સાથે ભોજન કરી તમને પવિત્ર કર્યા.” ચાણાક્ય બને સાધુને વિધિપૂર્વક વંદન કરી તેમના સ્થાને જવા દીધા. ચાણક્ય રાત્રે આચાર્ય ભગવંત પાસે ગયા અને આચાર્ય સમહારાજને ઠપકો આપતા કહેવા લાગ્યા કે “આ તમારા બે સાધુ શાસનનો ઉડ્ડાહ કરાવે છે.” એમ કહી બધી વાત કરી. આચાર્ય ભગવંતે બધી વાત સાંભળીને ચાણક્યને ઠપકો આપતાં કહ્યું કે “હું
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy